
તજનું પાણી ચયાપચયને વેગ આપે છે. આ કેલરી ઓગળવામાં મદદ કરે છે. તે શરીરની ચરબી ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે અને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.

આ ડ્રિંકનું ખાલી પેટ સેવન કરવાથી માત્ર વજન ઘટાડવામાં જ મદદ નથી થતી પરંતુ તેમાં રહેલા ગુણો પાચનક્રિયાને સારી રાખવામાં પણ મદદ કરી શકે છે.

તજનું સેવન કરવાથી ગેસ, અપચો અને કબજિયાત જેવી પેટની સમસ્યાઓમાં રાહત મળે છે.

તજમાં બળતરા વિરોધી અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણ હોય છે જે શરીરને ઘણા પ્રકારના ચેપથી બચાવવામાં મદદરૂપ થાય છે. (Disclaimer : આ જાણકારી મળતી માહિતી મુજબ આપવામાં આવી છે. Tv9 ગુજરાતી આ માહિતીની પુષ્ટી કરતું નથી. કોઈ પણ રેમિડી ઉપયોગ કરતા પહેલાં ડોક્ટરોની સલાહ અવશ્ય લો.)
Published On - 11:39 am, Sun, 29 December 24