
નિષ્ણાતોના મતે, લંડનમાં અગાઉની અછતને કારણે 14 ઓક્ટોબરે ભારતમાં ચાંદીના ભાવ ₹1.78 લાખ પ્રતિ કિલોગ્રામ થઈ ગયા હતા. નિષ્ણાતોએ એમ પણ કહ્યું કે, આ વર્ષે ચાંદીના ભાવમાં વધારો ફક્ત ઘરેણાંના કારણે નથી થયો.

સોલર એનર્જી, ઇલેક્ટ્રિક વાહનો, 5G ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને AI હાર્ડવેર જેવી ઇંડસ્ટ્રી તરફથી મજબૂત માંગને કારણે ચાંદી ગ્લોબલ ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશન માટે મહત્વપૂર્ણ બની છે. મર્યાદિત ખાણકામ અને ઓછા રિસાયક્લિંગને કારણે સપ્લાય પર દબાણ વધ્યું છે.