
અનંત અંબાણીનું વજન એકાએક વધીને 208 કિલો થઈ ગયુ હતુ, જેની પાછળનું કારણ હતુ હેવી સ્ટીરોઈડ.

અનંત અંબાણીના માતા નીતા અંબાણીના જણાવ્યા મુજબ અનંત અંબાણીને અસ્થમાની ગંભીર બીમારી હતી, જેમા તેમને રૂટિનમાં હેવી સ્ટીરોઈડ લેવુ પડતુ હતુ, જેના કારણે તેમનુ વજન એકાએક વધી ગયુ હતુ.

અનંત અંબાણીને આ બીમારીને કારણે વજન ઘટાડવામાં પણ ઘણી મુશ્કેલી આવી હતી જો કે તેમણે સખ્ત મહેનત અને દૃઢ મનોબળ થકી તે કરી બતાવ્યુ હતુ

અનંત અંબાણીએ માત્ર 18 મહિનામાં સખ્ત એક્સરસાઈઝ અને સ્ટ્રિક્ટ ડાયેટ ફોલો કરી તેનું વજન 100 કિલો ઘટાડી દીધુ હતુ.

અનંત અંબાણીનું એ ટ્રાન્સફોર્મેશન તેના જેવા અનેક હેવીવેઈટ ધરાવતા વ્યક્તિઓ માટે પ્રેરણારૂપ બન્યુ હતુ.