
કેસરનો ઉપયોગ દરેક ઘરોમાં કરવામાં આવે છે. તે સૌથી મોંઘા મસાલા પૈકી એક છે. તેની ઉંચા દામ હોવા છતા લગભગ તમામ ભારતીય ઘરોમાં તેનો ઉપયોગ થાય છે. કેસરનો ઉપયોગ મીઠાઈનો રંગ અને સ્વાદ વધારવા માટે થાય છે. સાથોસાથ તેને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક ગણવામાં આવે છે. કાશ્મીર ઘાટીમાં કેસર મોટા પ્રમાણમાં વેચાય છે. પરંતુ કેસર અસલી છે કે નક્લી તેની ખરાઈ કેવી રીતે કરવી

અસલી કેસરને ચેક કરવા માટે તેના એકાદ તાંતણાને પાણીમાં નાખો અને જો તે તુરંત રંગ છોડી દે તો સમજો કે તે નક્લી કેસર છે. ધ્યાન રાખો કે અસલી કેસરનો રંગ પાણીમાં મિક્સ થવામાં થોડો સમય ટાઈમ લે છે.

કેસરનો સ્વાદ તેની શુદ્ધતાનો સ્પષ્ટ સંકેત છે. કેસરના એક તાંતણાને જીભ પર રાખો, જો તે અસલી હશે તો 15 થી 20 મિનિટમાં શરીરમાં ગરમાવો અનુભવાશે. જો કે નક્લી કેસર ખાવાથી આવો કોઈ અનુભવ થશે નહીં.

અસલી કેસનો સ્વાદ થોડો કડવો અને તૂરો જેવો હોય છે. જો કેસરનો ટેસ્ટ કરતી વખતે તમને કેસર મીઠુ કે બે સ્વાદ લાગે તો સમજી જાઓ તે નક્લી છે. કેસરને જીભ પર રાખ્યા બાદ જો તે તરત જ રંગ છોડવા લાગે તો તે નક્લી છે.

કેસરને હાથમાં મસળીને પણ ચેક કરી શકાય છે. કેસરના એક તાંતણાને હાથમાં લઈને થોડો મસળો, જો તે હાથમાં લેતાવેંત તૂટી જાય છે તો સમજો તે અસલી છે. કેસર અત્યંત મુલાયમ હોય છે અને હાથમાં લેતા જ તેના ટૂકડા થઈ જાય છે.

કેસરને હુંફાળા ગરમ દૂધમાં નાખો. જો તે સંપૂર્ણપણે દૂધમાં ઓગળી જાય છે તો અસલી છે, નક્લી કેસર પાણીમાં ઓગળતુ નથી અને તેના રેસા પાણીમાં રહી જાય છે.

અસલી કેસરને ચેક કરવા માટે એક ગ્લાસમાં થોડા પાણીમાં 1 પીંચ જેટલા બેકિંગ સોડા નાખો અને તેમા કેસરના એક રેસાને નાખો, જો કેસર અસલી હશે તો મિશ્રણ પીળા રંગનું થી જશએ અને જો તે નક્લી હશે તો મિશ્રણ લાલ રંગનું થઈ જશે.