
1989 ના ભારતીય રેલવે અધિનિયમની કલમ 165 હેઠળ, ટ્રેનમાં નારિયેળ લઈ જવા પર પ્રતિબંધ છે. રેલવેના નિયમો અનુસાર, ટ્રેનમાં જ્વલનશીલ, વિસ્ફોટક અથવા અન્ય જોખમી પદાર્થો લઈ જવા પર દંડ થઈ શકે છે. વ્યક્તિગત ઉપયોગ અથવા ધાર્મિક હેતુ માટે એક કે બે નારિયેળ લઈ જવા એ યોગ્ય વાત છે પરંતુ ટ્રેનમાં મોટી સંખ્યામાં નારિયેળ લઈ જવા પર દંડ થઈ શકે છે.

રેલવે અધિનિયમ હેઠળ, આવા કિસ્સાઓમાં મુસાફરોને ₹1000 થી ₹5000 સુધીનો દંડ અને જેલની સજા પણ થઈ શકે છે. આ સિવાય તમને તાત્કાલિક ટ્રેનમાંથી ઉતારી પણ શકાય છે. આનો અર્થ એ થયો કે, સામાન્ય દેખાતું નારિયેળ રેલવેની સુરક્ષાની દૃષ્ટિએ ખૂબ જ ગંભીર છે. ગરમી અને તાપમાનને કારણે આ ફળ ફાટી શકે છે અને આગ જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે.