
જો તમને એવું અનુભવાય કે ઘર અથવા કાર્યસ્થળમાં વાસ્તુની ખામીઓના કારણે અસ્વસ્થતા અથવા અશાંતિ ફેલાઈ રહી છે, તો “ૐ ભૂર્ભુવઃ સ્વ: તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન: પ્રચોદયાત્ ” મંત્રનો જાપ કરવો લાભદાયી માનવામાં આવે છે. માન્યતા મુજબ, આ મંત્ર ઘરમાં શાંતિ, સકારાત્મકતા અને આધ્યાત્મિક પવિત્રતાનો અનુભવ કરાવે છે. તે અભ્યાસ, કામકાજ, ધ્યાન અને માનસિક એકાગ્રતાને વધુ મજબૂત બનાવવામાં સહાય કરે છે. આ મંત્રનો દૈનિક જાપ કરી શકાય છે. ( Credits: AI Generated )

મંત્ર જાપ કરતી વખતે કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું પાલન કરવું લાભદાયી માનવામાં આવે છે. શાંતિભર્યા વાતાવરણમાં, ખાસ કરીને સવાર કે સાંજના સમયે મંત્રોચ્ચાર કરવા ઉત્તમ ગણાય છે. સકારાત્મક ઊર્જા માટે દીવો કે અગરબત્તી પ્રગટાવી શકાય છે. મંત્રનો 108 વખત જાપ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે અને એક જ મંત્રને નિયમિત રીતે જાપ કરવાથી વધુ સારો પ્રભાવ મળે છે. હંમેશા સ્વચ્છ સ્થળે બેસીને પૂરી શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે મંત્ર જાપ કરવો જોઈએ. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. ) ( Credits: AI Generated )