
ગલગોટો: ગલગોટાના ફૂલો ફક્ત તમારા ઘરની સુંદરતામાં વધારો કરતા નથી પરંતુ તેમાં પાયરેથ્રમ નામનું કુદરતી સંયોજન પણ હોય છે. જેનો ઉપયોગ જંતુ ભગાડનારાઓમાં થાય છે. તેની તીખી સુગંધ મચ્છર અને માખીઓને ભગાડે છે. (Image Source | iStock)

ફુદીનો: ફુદીનાની તીવ્ર અને તાજગી આપતી સુગંધ માખીઓ, મચ્છર અને કીડીઓને પણ દૂર રાખે છે. તમે તેના પાંદડામાંથી રસ કાઢીને તમારા ઘરની આસપાસ સ્પ્રે કરી શકો છો. (Image Source | iStock)

લેમનગ્રાસ: લેમનગ્રાસમાં સિટ્રોનેલા ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. મચ્છર ભગાડવા માટેના ઘણા કૉઇલ અને રિપેલેન્ટમાં સિટ્રોનેલા તેનો ઉપયોગ કરવામાં આવે છે. (Image Source | iStock)

તુલસી: તુલસી દરેક ભારતીય ઘરમાં સરળતાથી મળી આવે છે. તેના પાંદડા કુદરતી રીતે એન્ટીબેક્ટેરિયલ હોય છે. તુલસીની સુગંધ મચ્છરના લાર્વાને પ્રજનન કરતા અટકાવે છે અને માખીઓને પણ દૂર રાખે છે. (Image Source | iStock)

લેવેન્ડર: લેવેન્ડરની સુગંધ મનુષ્યોને શાંતિ અને સુકૂન આપે છે. પરંતુ માખી અને મચ્છરોને તેની સુગંધ પસંદ નથી. તેમાં રહેલું લિનાલૂલ (Linalool) સંયોજન જંતુઓને દૂર રાખવામાં મદદરૂપ થઈ શકે છે. (Image Source | iStock)

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)