
નવડાવ્યા બાદ ભેજ વધુ સમય સુધી શ્વાનના શરીર પર રહે એ સૌથી જોખમી છે. એટલે નવડાવ્યા કર્યા પછી તરત જ ટુવાલથી સારી રીતે સૂકવી દો. જરૂર પડે તો લો સેટિંગ પર હેર ડ્રાયરનો ઉપયોગ કરી શકાય છે. પરંતુ હેર ડ્રાયર બહુ નજીકથી કે બહુ ગરમ હવાનો ઉપયોગ કરવો નહીં.

અંતમાં, સ્નાન કર્યા પછી શ્વાનને તરત બહાર ન લઈ જવું જોઈએ કારણ કે તેના શરીરનું તાપમાન ઝડપથી નીચે જઈ શકે છે. તેને રૂમમાં ગરમ વાતાવરણમાં થોડી વાર રાખો, જ્યાં સુધી તે સંપૂર્ણ સૂકી ન જાય. આ રીતે થોડો ધ્યાન રાખીને તમે શિયાળામાં પણ તમારા પાલતુની યોગ્ય કાળજી રાખી શકો છો અને તેને બીમાર પડતા બચાવી શકો છો.
Published On - 4:25 pm, Fri, 28 November 25