
One 97 Communication, Paytmની પેરેન્ટ કંપની ડિજિટલ પેમેન્ટ્સની અગ્રણી ફિનટેક કંપની આ દિવસોમાં કટોકટીમાંથી પસાર થઈ રહી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ (RBI) Paytm બેંક પર પ્રતિબંધ લગાવી દીધો છે. જે પછી Paytm બેંકની સેવાનો ઉપયોગ કરતા ઘણા લોકોમાં મૂંઝવણ ઊભી થઈ છે.

હવે Paytm એ QR કોડને લઈને કહ્યું છે કે તે હંમેશની જેમ કામ કરવાનું ચાલુ રાખશે. કંપનીએ કહ્યું કે 29 ફેબ્રુઆરી 2024 પછી પણ વેપારીઓને પેમેન્ટ સ્વીકારવાની છૂટ આપવામાં આવશે.

Paytm અનુસાર સાઉન્ડબોક્સ અને કાર્ડ મશીન જેવી ચુકવણીઓ પણ કાર્યરત રહેશે. તેથી અન્ય કોઈ વિકલ્પ શોધવાની જરૂર નથી. Paytm એ જણાવ્યું હતું કે કંપની કેટલીક મોટી બેંકો સાથે વાટાઘાટો કરી રહી છે અને વેપારીઓને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે તે સુનિશ્ચિત કરવા તેમાંથી એક સાથે ભાગીદારી કરશે.

Paytm QR જેવી સેવાઓ માટે જ્યાં Paytm Payments Bank બેક-એન્ડ બેંક તરીકે કામ કરે છે. આ સેવાઓ અન્ય ભાગીદાર બેંકોમાંથી ટ્રાન્સફર કરવામાં આવશે. કંપનીના પ્રવક્તાએ કહ્યું કે આનો અર્થ એ છે કે તેના વેપારી ભાગીદારો પાસે સતત સેવા ઉપલબ્ધ રહેશે.

નોંધનીય છે કે 31 જાન્યુઆરીએ RBIએ Paytm પેમેન્ટ્સ બેંક પર પ્રતિબંધ લગાવવાનો આદેશ આપ્યો હતો. આરબીઆઈએ કહ્યું હતું કે 29 ફેબ્રુઆરી પછી પેટીએમ પેમેન્ટ બેંકની ફાસ્ટેગ, વોલેટ અને ગ્રાહક ખાતા જેવી સેવાઓ ખોરવાઈ જશે.

બીજી તરફ Paytm એ પહેલાથી જ FASTag સંબંધિત માહિતી આપી છે કે તેની સેવાઓ ચાલુ રહેશે. જો કે તે કેવી રીતે કામ કરશે તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી નથી.