
પી ચિદમ્બરમનો પરિવાર નહોતો ઈચ્છતો કે તે નલિની સાથે લગ્ન કરે.ચિદમ્બરમે ઘરેથી ભાગીને લગ્ન કરવાનો નિર્ણય કર્યો. ચિદમ્બરમ અને નલિનીના નિર્ણયથી બંનેના પરિવારજનો ખૂબ નારાજ હતા.નલિની ચિદમ્બરમ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જસ્ટિસ પીએસ કાલિયાસમની પુત્રી છે. નલિનીની માતા સૌંદર્યા કાલિયાસમ લોકપ્રિય તમિલ લેખિકા અને કવિ હતી.

ચિદમ્બરમ અને નલિનીને એક પુત્ર છે. પુત્રનું નામ કાર્તિ છે.પી. ચિદમ્બરમને ઉમા નારાયણ નામની બહેન છે. તે ચેન્નાઈમાં પોતાનો બિઝનેસ ચલાવે છે.ચિદમ્બરમના બે ભાઈઓ પણ છે. તેના નામ છે પી. લક્ષ્મણ અને પી. અન્નામલાઈ. પી. લક્ષ્મણ એક વેપારી છે જ્યારે પી. અન્નામલાઈનું અવસાન થયું છે.

કાર્તિ ચિદમ્બરમનો જન્મ તમિલનાડુની રાજધાની ચેન્નઈમાં નલિની ચિદમ્બરમ અને પી ચિદમ્બરમને ત્યાં થયો હતો. કાર્તિએ 1993માં ટેક્સાસ યુનિવર્સિટીની મેકકોમ્બ્સ સ્કૂલ ઓફ બિઝનેસમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી હતી. આ પછી, 1995માં તેમણે કેમ્બ્રિજની વુલ્ફસન કોલેજમાંથી 'બેચલર ઓફ લો'ની ડિગ્રી લીધી.

તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ તમિલનાડુના શિવગંગાઈ લોકસભા મતવિસ્તારમાંથી સાંસદ રહી ચૂક્યા છે.2013માં જ્યારે પી ચિદમ્બરમ નાણામંત્રી હતા અને લોકસભામાં બજેટ રજૂ કરી રહ્યા હતા ત્યારે તેમનો આખો પરિવાર ત્યાં પહોંચી ગયો હતો.

પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ ટેનિસના શોખીન છે અને ઓલ ઈન્ડિયા ટેનિસ એસોસિએશનના ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. કાર્તિની પત્ની શ્રીનિધિ વ્યવસાયે ડોક્ટર હોવાની સાથે-સાથે ભરતનાટ્યમ ડાન્સર પણ છે.કાર્તિ અને શ્રીનિધિને અદિતિ ચિદમ્બરમ નામની પુત્રી છે.
Published On - 7:37 am, Sat, 16 September 23