
જો તમને તમારા ચહેરા પર વારંવાર ખીલ થાય છે, તો ડુંગળીનો રસ ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે. આને તમારા ચહેરા પર લગાવવાથી ખીલ અને ડાઘ બંને ઓછા થશે, જેનાથી તમારો ચહેરો ખીલી ઉઠશે. આને 15 થી 20 મિનિટ માટે તમારા ચહેરા પર લગાવો અને પછી તેને પાણીથી ધોઈ નાખો.

ઘણા લોકો ફરિયાદ કરે છે કે, તેમના ઢોસા તવા પર ચોંટી જાય છે. આ સમસ્યાથી બચવા માટે ડુંગળીને કાપીને તવા પર ઘસો. આ પછી, જ્યારે તમે ખીરું નાખો છો, ત્યારે ઢોસા ચોંટશે નહીં.

ડુંગળીનો રસ કાઢો, થોડું પાણી ઉમેરો અને તેને સ્પ્રે બોટલમાં ભરો. હવે આ મિશ્રણને એવા ખૂણામાં સ્પ્રે કરો કે, જ્યાં જંતુઓનું જોખમ વધારે હોય. આની ગંધ જંતુઓને અને ગરોળીને ભગાડે છે. આ રીતે, ડુંગળી તમારી ઘણી સમસ્યાઓ દૂર કરી શકે છે.