
નીમ કરોલી બાબા અનુસાર, જો કોઈ વ્યક્તિ જીવનમાં હંમેશા ભગવાનનું ધ્યાન કરે છે અને આ દરમિયાન આંખોમાંથી આંસુ પડવા લાગે છે, તો તે શુભ સંકેતો આપે છે. એવું માનવામાં આવે છે કે નવા વર્ષના દિવસે પૂજા દરમિયાન આંખોમાંથી આંસુ નીકળવાથી જીવનમાં આવતા દુ:ખ અને પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. તેની સાથે સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે.

નીમ કરોલી બાબા અનુસાર, નવા વર્ષના દિવસે જો કોઈ પ્રાણી અથવા પક્ષી કોઈના ઘરે જાય છે, તો તે વ્યક્તિને જીવનમાં ઘણા શુભ સંકેતો મળે છે. ઘરમાં પશુ-પક્ષીઓના આગમનથી વ્યક્તિને દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે. પરિવારમાં ખુશીઓનું આગમન થાય.

નવા વર્ષના દિવસે સવારે ઉઠ્યા પછી થોડા સમય મૌન રહો. નીમ કરોલી બાબા અનુસાર, આ કરવાથી માનવ શરીરમાં સકારાત્મક ઉર્જાનો સંચય થાય છે. તેનાથી વ્યક્તિ સમજદાર બને છે અને દિવસ સારો જાય છે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી/ઉપાયો/લાભ/સલાહ અને નિવેદનો માત્ર સામાન્ય જાણકારી માટે છે. Tv9 ગજરાતી કોઈ વાતની પુષ્ટિ કરતું નથી.)

Published On - 1:27 pm, Tue, 31 December 24