
પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલે આ તત્વોને અલ્ટિમેટ આપીને કહ્યું કે જો તેઓ સુધરશે નહીં તો કડક કાયદાકીય પગલાં લઈને જેલમાં મોકલવામાં આવશે. આ પગલાંથી સ્થાનિક સ્તરે ભયનું વાતાવરણ ઉભું કરવાનું હેતુ છે જેથી સામાન્ય નાગરિકો સલામત મહેસૂસ કરે.

અમદાવાદના વસ્ત્રાલમાં જાહેરમાં મારામારી અને તોડફોડની ઘટનાઓ બાદ રાજ્યભરમાં અસામાજિક તત્ત્વોને સીધા દોરવાનું અભિયાન શરૂ થયું હતું. હવે, આ અભિયાન જિલ્લા કક્ષાએ પણ વેગ પામ્યું છે.

નવસારી જિલ્લામાં અલગ-અલગ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓની યાદી તૈયાર કરીને તમામને ભેગા કરી શિસ્તમાં લાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સાથે કાન પકડાવી માફી પણ મગાવી.

આપેલા સમજન બાદ પણ જો કોઈ આરોપી સુધરશે નહીં તો કાયદાની કડક શખ્તાઈ કરીને તેમને જેલભેગા કરવામાં આવશે. "ગુનેગારી છોડો અથવા ગુજરાત છોડો" આ સૂત્ર સાથે ગુજરાત પોલીસે રાજ્યભરમાં અસામાજિક તત્વો સામે કડક વલણ અપનાવ્યું છે, જેનાથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં ઘટાડો થશે અને શાંતિનો માહોલ સર્જાશે.