
મચ્છરોના કરડવાથી મેલેરિયા ફેલાય છે જેમાં વ્યક્તિને ખૂબ તાવ આવી શકે છે. મેલેરિયાથી શરીરમાં દુખાવો અને નબળાઈનો પણ અનુભવ થઈ શકે છે.

ચિકનગુનિયા વાયરસ પણ મચ્છરોના કરડવાથી ફેલાય છે. આ રોગમાં તાવ અને તીવ્ર સાંધાનો દુખાવો થઈ શકે છે. જે ઘણા અઠવાડિયા કે મહિનાઓ સુધી રહી શકે છે.

ઝીકા વાયરસ પણ મચ્છરો દ્વારા ફેલાય છે. આ વાયરસ ચેપગ્રસ્ત મચ્છરના કરડવાથી ફેલાય છે.

જાપાનીઝ એન્સેફાલીટીસ આ રોગ ખૂબ જ ખતરનાક છે. તે મચ્છરો દ્વારા ફેલાય છે. આ રોગ મગજમાં બળતરાનું કારણ બની શકે છે.

ફિલેરિયાસિસ એ મચ્છરના કરડવાથી ફેલાતો રોગ છે અને તે શરીરના ભાગોમાં બળતરાનું કારણ બને છે. આ રોગ લગભગ 15થી 20 મચ્છરો દ્વારા ફેલાય છે.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ અને નિષ્ણાતોના મત પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.