
પેટ સંબંધિત સમસ્યાઓથી રાહત : ચોમાસામાં બેક્ટેરિયાના વિકાસને કારણે અથવા ખાવાની ખોટી આદતોને કારણે પેટ સંબંધિત સમસ્યાઓ થવી સામાન્ય બાબત છે. આનાથી છુટકારો મેળવવા માટે તુલસીના 8 થી 10 પાન લઈને તેને થોડાં જીરું સાથે પીસીને મધ સાથે થોડું-થોડું ખાવાથી ઘણી રાહત મળે છે.

તુલસી ઘામાં ચેપ અટકાવે છે : વરસાદની મોસમમાં ઘણી વખત ત્વચા પર ફોલ્લીઓ અથવા ઘા થવાને કારણે ચેપ લાગવાનો ભય રહે છે. તેનાથી બચવા માટે આ સમય દરમિયાન તુલસીના પાનનું સેવન કરવું જોઈએ. તેમાં હાજર એન્ટી-બેક્ટેરિયલ ગુણ ઘામાં ચેપથી બચાવે છે.
Published On - 9:41 am, Mon, 1 July 24