
ખાસ કરીને ચોમાસાની ઋતુમાં પાંદડાવાળા શાકભાજી અને કાચા શાકભાજીમાં બેક્ટેરિયા અને ફૂગ સરળતાથી લાગી શકે છે. તેથી પાંદડાવાળા શાકભાજી ખાવાનું ટાળવું જોઈએ.

ઈડલી અને ઢોસા જેવા આથાવાળા ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. તેમજ પાણીનું પ્રમાણ વધારે હોય તેવા ફળો ખાવાનું ટાળવું જોઈએ.

ખાંડનું વધુ સેવન બળતરા અને ત્વચાની સમસ્યાઓ તરફ દોરી શકે છે તેથી વધારે ખાંડ વાળી વસ્તુ ખાવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત ચા અને કોફીનું સેવન ઘટાડવું જોઈએ.