આજકાલ દરેક પાસે સ્માર્ટફોન હોય છે, કેટલાક પાસે સસ્તા બજેટ સ્માર્ટફોન છે તો કેટલાક પાસે મોંઘા ફ્લેગશિપ સ્માર્ટફોન છે. જ્યારે સ્માર્ટફોને આપણા બધા માટે જીવન સરળ બનાવ્યું છે, તેમજ લોકો ઘણીવાર સ્માર્ટફોનને શ્રાપ આપતા જોવા મળે છે કે તે ખરાબ ફોન છે, તે હેંગ થતો રહે છે અને પરફોર્મન્સ પણ ખૂબ જ ધીમું છે. જો તમે પણ તમારા ફોનના પરફોર્મન્સને લઈને ચિંતિત છો, તો આ સમસ્યાથી બચવાનો એક જ ઉપાય છે.
શું તમે ક્યારેય તમારો ફોન રીસ્ટાર્ટ કર્યો છે? તો ઘણા લોકો નો જવાબ ના હશે અને કેટલાક નો જવાબ હા માં હશે. પરંતુ સવાલ એ થાય છે કે શું તમે જાણો છો કે કેટલા સમય પછી ફોનને રિસ્ટાર્ટ કરવો જોઈએ?
ફોનને કેટલા સમય પછી રીસ્ટાર્ટ કરવો જોઈએ તે પ્રશ્નનો જવાબ એ છે કે તમે તમારા ડિવાઈસનો ઉપયોગ કેવી રીતે કરો છો તેના પર આધાર રાખે છે.
ફોનના સારા પરફોર્મન્સ માટે સલાહ આપવામાં આવે છે કે અઠવાડિયામાં ઓછામાં ઓછા એક વખત ફોનને રિસ્ટાર્ટ કરવો જોઈએ. આમ કરવાથી ફોનના પ્રોસેસર અને મેમરીને રિફ્રેશ કરવામાં મદદ મળે છે. આ સિવાય ફોન હેંગ થવાની કે સ્લો થવાની શક્યતા પણ ઘટી જાય છે.
લોકો કહે છે કે ફોન હેંગ થઈ રહ્યો છે, ગરમ થઈ રહ્યો છે અને ખૂબ જ ધીમો ચાલી રહ્યો છે. આ બધી સમસ્યાઓ ત્યારે જ ઊભી થાય છે જ્યારે તમે ફોનને બંધ કર્યા વગર લાંબા સમય સુધી ઉપયોગ કરતા રહો. આ પણ એક મશીન છે જેને ઠંડુ થવામાં થોડો સમય લાગે છે.
જો ફોન વધુ પડતો હેંગ થઈ રહ્યો છે, એપ્સ ક્રેશ થઈ રહી છે, બેટરી બેકઅપ ઘટી રહ્યો છે અને ફોન વધુ પડતો ગરમ થઈ રહ્યો છે, જો તમને આમાંની કોઈપણ સમસ્યા લાગે તો તરત જ ફોનને રીસ્ટાર્ટ કરો.