Mehta surname history : TMKOCમાં મહેતા અટકનો અર્થ શું થાય છે ? આ સરનેમ પાછળનો ઈતિહાસ જાણો

દેશ-દુનિયામાં અલગ-અલગ વર્ણના લોકો વસવાટ કરે છે.કોઈ પણ માણસના નામ પાછળ એક વિશેષ નામ લખવામાં આવે છે. તેને અટક તરીકે ઓળખાય છે. તો આજે મહેતા અટકનો અર્થ શું થાય છે તેમજ તેના પાછળનો ઈતિહાસ શું છે તે જાણીશું.

| Updated on: May 24, 2025 | 1:38 PM
4 / 9
ઇતિહાસમાં મહેતા અટક એવા લોકોને આપવામાં આવતી હતી જેઓ રાજાઓ અથવા સામંતોના દરબારમાં સલાહકારો, મંત્રીઓ, દિવાન અથવા મહેસૂલ અધિકારીઓ તરીકે સેવા આપતા હતા.

ઇતિહાસમાં મહેતા અટક એવા લોકોને આપવામાં આવતી હતી જેઓ રાજાઓ અથવા સામંતોના દરબારમાં સલાહકારો, મંત્રીઓ, દિવાન અથવા મહેસૂલ અધિકારીઓ તરીકે સેવા આપતા હતા.

5 / 9
ગુજરાતમાં નાગર બ્રાહ્મણો, વણિક અને કેટલીક લોહાર અને પટેલ જાતિઓ મહેતા અટકનો ઉપયોગ કરે છે. આ અટક પરંપરાગત રીતે વહીવટકર્તા વર્ગ અથવા સામાજિક સલાહકારોને આપવામાં આવતી હતી.

ગુજરાતમાં નાગર બ્રાહ્મણો, વણિક અને કેટલીક લોહાર અને પટેલ જાતિઓ મહેતા અટકનો ઉપયોગ કરે છે. આ અટક પરંપરાગત રીતે વહીવટકર્તા વર્ગ અથવા સામાજિક સલાહકારોને આપવામાં આવતી હતી.

6 / 9
ગુજરાતના ઇતિહાસમાં ઘણા મહેતા પરિવારો કોર્ટ એકાઉન્ટન્ટ અથવા દિવાન રહ્યા છે. રાજસ્થાનમાં આ અટક રાજપૂતો, વાણિયાઓ અને કેટલાક બ્રાહ્મણો દ્વારા વપરાય છે.

ગુજરાતના ઇતિહાસમાં ઘણા મહેતા પરિવારો કોર્ટ એકાઉન્ટન્ટ અથવા દિવાન રહ્યા છે. રાજસ્થાનમાં આ અટક રાજપૂતો, વાણિયાઓ અને કેટલાક બ્રાહ્મણો દ્વારા વપરાય છે.

7 / 9
ખાસ કરીને મારવાડ અને મેવાડમાં, "મહેતા" અટક શાહી દરબાર સાથે સંકળાયેલી માનવામાં આવતી હતી. પંજાબમાં ખત્રી, અરોરા અને કેટલાક શીખ પરિવારો દ્વારા મહેતા અટક અપનાવવામાં આવે છે.

ખાસ કરીને મારવાડ અને મેવાડમાં, "મહેતા" અટક શાહી દરબાર સાથે સંકળાયેલી માનવામાં આવતી હતી. પંજાબમાં ખત્રી, અરોરા અને કેટલાક શીખ પરિવારો દ્વારા મહેતા અટક અપનાવવામાં આવે છે.

8 / 9
આ સમુદાયોમાં તે આદરણીય સ્થાનનું પ્રતીક પણ રહ્યું છે, જે એક સમયે મહેસૂલ અથવા વહીવટી સેવા સાથે સંકળાયેલું હતું. મહેતા અટક ધરાવતા લોકોને પરંપરાગત રીતે શિક્ષિત અને પ્રભાવશાળી માનવામાં આવે છે. આ લોકો ધાર્મિક વિધિઓ, વહીવટી કાર્ય અને વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં અગ્રણી ભૂમિકા ભજવી રહ્યા છે.

આ સમુદાયોમાં તે આદરણીય સ્થાનનું પ્રતીક પણ રહ્યું છે, જે એક સમયે મહેસૂલ અથવા વહીવટી સેવા સાથે સંકળાયેલું હતું. મહેતા અટક ધરાવતા લોકોને પરંપરાગત રીતે શિક્ષિત અને પ્રભાવશાળી માનવામાં આવે છે. આ લોકો ધાર્મિક વિધિઓ, વહીવટી કાર્ય અને વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં અગ્રણી ભૂમિકા ભજવી રહ્યા છે.

9 / 9
મહેતાએ કોઈ એક જાતિનું અટક નથી, પરંતુ તે એક એવું બિરુદ છે જેનો ઉપયોગ ઘણી જાતિઓ અને સમુદાયો દ્વારા આદરના પ્રતીક તરીકે કરવામાં આવે છે, ખાસ કરીને જેઓ વિદ્વાનો, સલાહકારો, વહીવટકર્તાઓ અથવા દિવાન હતા.(નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)

મહેતાએ કોઈ એક જાતિનું અટક નથી, પરંતુ તે એક એવું બિરુદ છે જેનો ઉપયોગ ઘણી જાતિઓ અને સમુદાયો દ્વારા આદરના પ્રતીક તરીકે કરવામાં આવે છે, ખાસ કરીને જેઓ વિદ્વાનો, સલાહકારો, વહીવટકર્તાઓ અથવા દિવાન હતા.(નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)