Breaking News : શેરબજારમાં ‘માર્કેટ 2.0’નો આગાઝ ! શું ભારત ફરીથી કોરોના કાળ જેવો ઐતિહાસિક બુલ રન જોશે ?

ભારતીય શેરબજારમાં અત્યારે જે હલચલ જોવા મળી રહી છે, તેને નિષ્ણાતો 'માર્કેટ 2.0' તરીકે ઓળખાવી રહ્યા છે. વર્ષ 2020 ના લોકડાઉન વખતે નિફ્ટીમાં જે ઉછાળો જોવા મળ્યો હતો, તેવો જ ઉછાળો હવે ફરી જોવા મળી શકે છે.

| Updated on: Feb 03, 2026 | 5:24 PM
1 / 5
ભારતીય શેરબજારમાં આજે જોવા મળેલો ઉછાળો સામાન્ય નથી પરંતુ તે 'માર્કેટ 2.0' ના આગમનનો સંકેત છે. બજારના દિગ્ગજ અને મોતીલાલ ઓસ્વાલ મ્યુચ્યુઅલ ફંડના ફાઉન્ડર રામદેવ અગ્રવાલે માર્કેટને લઈને એક મહત્વનો દાવો કર્યો છે.

ભારતીય શેરબજારમાં આજે જોવા મળેલો ઉછાળો સામાન્ય નથી પરંતુ તે 'માર્કેટ 2.0' ના આગમનનો સંકેત છે. બજારના દિગ્ગજ અને મોતીલાલ ઓસ્વાલ મ્યુચ્યુઅલ ફંડના ફાઉન્ડર રામદેવ અગ્રવાલે માર્કેટને લઈને એક મહત્વનો દાવો કર્યો છે.

2 / 5
શેરબજારમાં નોંધાયેલ તેજી નિષ્ણાતો માટે આશ્ચર્યજનક રહી છે. નિષ્ણાતોના મતે, કોરોના કાળમાં શરૂ થયેલી ઐતિહાસિક તેજીની જેમ જ બીજીવાર 'બિગ બુલ રન'ની આજથી શરૂઆત થઈ ચૂકી છે.

શેરબજારમાં નોંધાયેલ તેજી નિષ્ણાતો માટે આશ્ચર્યજનક રહી છે. નિષ્ણાતોના મતે, કોરોના કાળમાં શરૂ થયેલી ઐતિહાસિક તેજીની જેમ જ બીજીવાર 'બિગ બુલ રન'ની આજથી શરૂઆત થઈ ચૂકી છે.

3 / 5
ઇતિહાસ પર નજર કરીએ તો, 25 માર્ચ 2020ના રોજ જ્યારે દેશમાં લોકડાઉન હતું અને તમામ વેપાર-ધંધા બંધ હતા, ત્યારે નિફ્ટીએ એક જ દિવસમાં 500થી વધુ પોઈન્ટ્સ એટલે કે 6.62%નો ઐતિહાસિક ઉછાળો નોંધાવ્યો હતો.

ઇતિહાસ પર નજર કરીએ તો, 25 માર્ચ 2020ના રોજ જ્યારે દેશમાં લોકડાઉન હતું અને તમામ વેપાર-ધંધા બંધ હતા, ત્યારે નિફ્ટીએ એક જ દિવસમાં 500થી વધુ પોઈન્ટ્સ એટલે કે 6.62%નો ઐતિહાસિક ઉછાળો નોંધાવ્યો હતો.

4 / 5
આ તેજી ત્યાંથી શરૂ થઈને 27 સપ્ટેમ્બર 2024 સુધી સતત ચાલી હતી, જેમાં નિફ્ટી 7,735 થી વધીને 26,277 ના ઓલ-ટાઇમ હાઈ પર પહોંચ્યો હતો. આ 4.5 વર્ષના ગાળામાં બજારે 249% ગ્રોથ સાથે 18,739 પોઈન્ટ્સની છલાંગ લગાવી હતી.

આ તેજી ત્યાંથી શરૂ થઈને 27 સપ્ટેમ્બર 2024 સુધી સતત ચાલી હતી, જેમાં નિફ્ટી 7,735 થી વધીને 26,277 ના ઓલ-ટાઇમ હાઈ પર પહોંચ્યો હતો. આ 4.5 વર્ષના ગાળામાં બજારે 249% ગ્રોથ સાથે 18,739 પોઈન્ટ્સની છલાંગ લગાવી હતી.

5 / 5
હવે ફરી એકવાર આવો જ બુલ રન આવશે કે કેમ? તેવા સવાલોના જવાબ આપતા મોતીલાલ ઓસ્વાલ મ્યુચ્યુઅલ ફંડના ફાઉન્ડર રામદેવ અગ્રવાલે CNBC હિન્દી પર લાઈવ શોમાં દાવો કર્યો છે કે, ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સંબંધોને કારણે બજારમાં આવી જ તેજીનો નવો યુગ શરૂ થઈ રહ્યો છે.

હવે ફરી એકવાર આવો જ બુલ રન આવશે કે કેમ? તેવા સવાલોના જવાબ આપતા મોતીલાલ ઓસ્વાલ મ્યુચ્યુઅલ ફંડના ફાઉન્ડર રામદેવ અગ્રવાલે CNBC હિન્દી પર લાઈવ શોમાં દાવો કર્યો છે કે, ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સંબંધોને કારણે બજારમાં આવી જ તેજીનો નવો યુગ શરૂ થઈ રહ્યો છે.