ભૂકંપે થાઇલેન્ડની રાજધાની બેંગકોક અને મ્યાનમારમાં ભારે તબાહી મચાવી છે. બેંગકોકના ચતુચકમાં એક નિર્માણાધીન ઇમારત ભૂકંપના કારણે ધરાશાયી થઈ ગઈ છે. આ ધરાશાયી થયેલી ઇમારતમાં 43 લોકો ગુમ હોવાનું કહેવાય છે. ગુમ થયેલા મોટાભાગના લોકો મજૂર હોવાનું કહેવાય છે
બીએનઓ ન્યૂઝે યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વેને ટાંકીને જણાવ્યું છે કે, ભૂકંપના તીવ્ર આંચકાને કારણે થાઇલેન્ડ અને મ્યાનમારમાં હજારો લોકોના મોત થયા હોઈ શકે છે. અહીં, ભૂકંપ બાદ બંને દેશોમાં રાહત અને બચાવ કાર્ય શરૂ થઈ ગયું છે.
મ્યાનમારમાં ભૂકંપને કારણે એક પુલ તૂટી ગયો છે. આ પુલ દેશના બીજા સૌથી મોટા શહેર સાગાઈંગ ટાઉનશીપમાં સ્થિત હતો
યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપનું કેન્દ્રબિંદુ મ્યાનમારના સાંગાઇંગ નજીક હતું. અહીં જમીનથી 10 કિમી નીચે બે પ્લેટ અથડાઈ હતી. જેના કારણે ભૂકંપ આવ્યો હતો
એવું કહેવામાં આવી રહ્યું છે કે શક્તિશાળી ભૂકંપના થોડા કલાકો પહેલા અહીં ઓછી તીવ્રતાનો ભૂકંપ (જેને આફટરશોક પણ કહેવાય છે) પણ અનુભવાયો હતો.
બેંગકોકમાં 1.7 કરોડ લોકો રહે છે અને મ્યાનમારમાં 5 કરોડ લોકો રહે છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ મ્યાનમારના જે વિસ્તારમાં હતું ત્યાં લગભગ 20 લાખ લોકો રહે છે.