
મકરસંક્રાંતિ,ઉતરાયણ એ હિંદુઓનો તહેવાર છે. જે દેશના વિવિધ રાજ્યોમાં અનેક નામો અને અલગ-અલગ રીતે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં ઉતરાયણ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં લોકો પતંગ ઉડાડીને મકરસંક્રાતિની ઉજવણી કરે છે.

આણંદ જિલ્લાનું ખંભાત વર્ષોથી પતંગના ઉત્પાદન ક્ષેત્રે નામાંકિત છે. એવું પણ કહી શકાય કે, અહીના કારીગરોને પતંગ ઉત્પાદનની કલા પેઢી દર પેઢી વારસામાં મળી છે. તમને જાણીને નવાઈ થશે કે, ખંભાતની પતંગો વિદેશમાં પણ જાય છે. એટલે કે, સાત સમુદ્ર પાર જાય છે.

ખંભાતમાં ઉતરાયણની ઉજવણી ખુબ જ શાનદાર થાય છે. ત્યારબાદ બીજા દિવસે વાસી ઉતરાયણની ઉજવણી કરવામાં આવે છે. ઉતરાયણ પછીના રવિવારે પણ ખંભાતમાં ઉતરાયણની ઉજવણી થાય છે. તમને જણાવી દઈએ કે, ખંભાતમાં એક જ મહિનામાં 4 વખત ઉતરાયણની ઉજવણી થાય છે

ખંભાતમાં મોટી સંખ્યામાં કારીગરો પતંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જેના કારણે તેઓ ઉતરાયણ સુધી તો પતંગ બનાવવાની કામગીરીમાં વ્યસ્ત હોય છે. જેના માટે તેઓ ઉતરાયણ પછીના રવિવારે દરિયા કિનારી ઉતરાયણની ઉજવણી કરે છે. છેલ્લી 26મી જાન્યુઆરીના દિવસે ઉતરાયણની ઉજવણી કરવામાં આવે છે.

અહી વર્ષે કરોડો રુપિયાની પતંગની બનીને તૈયાર થાય છે.હિંદુ કેલેન્ડર મુજબ એક વર્ષમાં કુલ 12 સંક્રાંતિ આવે છે. પરંતુ આ બધામાં મકરસંક્રાંતિનું વિશેષ મહત્વ છે.

પતંગ ચગાવવા માટે પતંગની સાથે દોરો પણ મજબુત હોવો જરુરી છે. 3 તાર, 6 તાર 9 તાર અને 12 તાર ની દોરી નો ઉપયોગ કરવામાં આવે છે. પતંગ રશિયાઓ સૌથી વધારે 9 તાર અને 12 તારની દોરીનો ઉપયોગ કરતા હોય છે (photo : canva)