
મનોહર જોશીએ મુંબઈની વીરમાતા જીજાબાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીથી એન્જિન્યરિંગનો અભ્યાસ કર્યો હતો. મનોહર જોશીના રાજનીતિક કરિયરની શરુઆત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં સામેલ થયાની સાથે થઈ હતી. તે 1967માં શિવસેનાના સભ્ય બન્યા હતા. 1980ના સમયમાં શિવસેનાના એક પ્રમુખ નેતાના રુપ જાણીતા હતા.

તે બાળા સાહેબ ઠાકરેથી ખુબ પ્રભાવિત હતા. મનોહર જોશીએ ઠાકરે પરિવારની ચાર પેઢીનું કામ જોવાનો લહાવો મળ્યો હતો. તેમણે પ્રબોધંકર ઠાકરે, બાળાસાહેબ ઠાકરે, ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરેનું કામ જોયું છે.

મનોહર જોશી 1968માં શિવસેનામાં જોડાયા બાદ કાઉન્સિલર બન્યા હતા. 1005માં શિવસેના અને ભાજપની ગઠબંધન સરકાર બન્યા બાદ મનોહર જોશી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા હતા.1967માં બનેલી શિવસેનાના તેઓ પ્રથમ મુખ્યમંત્રી હતા.

1999થી 2012 સુધી રાજનીતિમાં સક્રિય રહ્યા હતા. તેમણે 1992થી 2002 સુધી અટલ બિહારી વાજપેયી સરકારમાં અનેક ખાતા સંભાળ્યા હતા. 2006 થી 2012 સુધી રાજ્યસભાના સભ્ય રહ્યા હતા. તેમના કાર્યકાળમાં મુંબઈમાં 50 બ્રિઝ બન્યા હતા.

તેણીનો જન્મ 1996 માં એક મરાઠી પરિવારમાં થયો હતો. શર્વરી વાળા એક આર્કિટેક્ટ છે. તેણે મુંબઈની દાદર પારસી યુથ એસેમ્બલી હાઈસ્કૂલ અને રૂપારેલ કોલેજમાં અભ્યાસ કર્યો છે.

શર્વરી રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેમના નાના મનોહર જોશી મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હતા. જ્યારે તેના પિતા શૈલેષ વાધ મુંબઈના જાણીતા બિલ્ડર છે, જ્યારે માતા નમ્રતા વાળા આર્કિટેક્ટ છે. આ સિવાય તેમની બહેન કસ્તુરી પણ આર્કિટેક્ટ છે. શર્વરી ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે.
Published On - 10:50 pm, Sat, 24 February 24