
તુલસીનું ઝાડ : તુલસીના ઝાડને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, તુલસીના ઝાડમાં લક્ષ્મીનો વાસ હોય છે. પૂર્વ દિશામાં તુલસીનું ઝાડ હોવું એ શુભ સંકેત છે. દરરોજ તુલસીના ઝાડને પાણી આપો અને તુલસી આગળ દીવો પ્રગટાવો.

શંખ : પૂજા માટે સૌથી મહત્વપૂર્ણ વસ્તુ શંખ છે. એવું માનવામાં આવે છે કે, માં લક્ષ્મી શંખમાં રહે છે. આથી, તમારે તમારા ઘરમાં શંખ રાખવો જોઈએ. જણાવી દઈએ કે, શંખને પૂર્વ દિશામાં રાખવો જોઈએ. શંખના અવાજથી માં લક્ષ્મીના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે.

માં લક્ષ્મીની મૂર્તિ : જો તમે તમારા ઘરમાં માં લક્ષ્મી રાખવા માંગતા હોવ, તો તમારે તેમનો ફોટો અથવા મૂર્તિ ઘરમાં રાખવી જોઈએ. દરરોજ સવારે અને સાંજે દેવી લક્ષ્મીની પૂજા કરો. માં લક્ષ્મીની મૂર્તિ તમે ઉત્તર-પૂર્વ દિશામાં રાખી છો, જેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવવા લાગે છે.