
જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોનું રાશિ પરિવર્તન એ માત્ર ખગોળીય ઘટના નથી, પરંતુ તે માનવ જીવન પર ઊંડી અસર કરનારું પરિબળ માનવામાં આવે છે. વર્ષ 2026ની શરૂઆતથી જ કુંભ રાશિમાં ગ્રહોની મોટી હિલચાલ જોવા મળી રહી છે. આ ક્રમમાં, 23 ફેબ્રુઆરી 2026ના રોજ એક અત્યંત દુર્લભ અને પ્રભાવશાળી 'ધનશક્તિ રાજયોગ'નું નિર્માણ થવા જઈ રહ્યું છે. મંગળ અને શુક્રના આ અનોખા મિલનથી કેટલીક નસીબદાર રાશિઓ માટે પ્રગતિના નવા દ્વાર ખૂલશે

પંચાંગ મુજબ, 23 ફેબ્રુઆરી 2026ના રોજ સવારે 07:27 મિનિટે સાહસ અને ઉર્જાનો કારક મંગળ ગ્રહ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. આ સમયે કુંભ રાશિમાં પહેલાથી જ ધન-વૈભવનો સ્વામી શુક્ર અને બુદ્ધિનો કારક બુધ વિરાજમાન છે. જ્યારે મંગળ અને શુક્ર એક જ રાશિમાં યુતિ કરે છે, ત્યારે 'ધનશક્તિ રાજયોગ' બને છે. આ યોગ આર્થિક ઉન્નતિ, જમીન-મકાનના સુખ અને કરિયરમાં મોટી સફળતા મેળવવા માટે સર્વોત્તમ માનવામાં આવે છે.

મિથુન રાશિના જાતકો માટે આ રાજયોગ કોઈ વરદાનથી ઓછો નથી. આ સમયગાળા દરમિયાન લાંબા સમયથી અટવાયેલા નાણાં પરત મળી શકે છે. જો તમે સરકારી કે ખાનગી નોકરીમાં છો, તો પ્રમોશન અથવા નવી જવાબદારી મળવાની પ્રબળ શક્યતા છે. વેપારીઓ માટે રોકાણ કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે, જે ભવિષ્યમાં મબલખ નફો કરાવી શકે છે.

વૃશ્ચિક રાશિના સ્વામી મંગળ હોવાથી આ ગોચર તેમના માટે વિશેષ ફળદાયી રહેશે. આ રાશિના જાતકોને જમીન કે મિલકતને લગતા વિવાદોમાં સફળતા મળશે. તમારા આત્મવિશ્વાસમાં અભૂતપૂર્વ વધારો થશે, જેના કારણે તમે કાર્યક્ષેત્રમાં કઠિન નિર્ણયો સરળતાથી લઈ શકશો. ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરશે અને તમને માન-સન્માન મળશે.

મકર રાશિના જાતકો માટે 'ધનશક્તિ રાજયોગ' આર્થિક સ્થિરતા લઈને આવશે. આવકના નવા સ્ત્રોત ઉભા થશે જેનાથી બેંક બેલેન્સમાં નોંધપાત્ર વધારો જોવા મળશે. તમારી વાણીનો પ્રભાવ એટલો મજબૂત રહેશે કે તમે અટકેલા બિઝનેસ સોદા સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો. આ ઉપરાંત, પિતૃક સંપત્તિથી મોટો લાભ થવાની પણ શક્યતા દેખાઈ રહી છે.

-સૌથી વધુ અસર કુંભ રાશિ પર જોવા મળશે કારણ કે આ રાજયોગ તમારી જ રાશિમાં બની રહ્યો છે. તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે અને સમાજમાં તમારું કદ વધશે. વૈવાહિક જીવનમાં મધુરતા આવશે અને જીવનસાથીના સહયોગથી આર્થિક લાભ થશે. જો તમે નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો 23 ફેબ્રુઆરી પછીનો સમય તમારા માટે સૌથી ઉત્તમ સાબિત થશે.