
ઈ-ટિકિટ હોય તો મુસાફરી દરમિયાન ID બતાવવું ફરજિયાત છે. ID ભૂલી જવાથી મુસાફરને ટિકિટ વગરનો ગણવામાં આવે છે. આવા કિસ્સામાં, મુસાફર ભાડું અને દંડ ચૂકવીને તે જ બર્થ પર મુસાફરી ચાલુ રાખી શકે છે.

મુસાફરોની સુવિધા માટે ભલામણ કરવામાં આવે છે કે, તમે હંમેશા તમારા ફોનમાં તમારી ઈ-ટિકિટનો સ્ક્રીનશોટ પાડો અને તેની પ્રિન્ટેડ કોપી પણ સાથે રાખો. તમારી કાઉન્ટર ટિકિટને સુરક્ષિત જગ્યાએ રાખો. તમારા આઈડી અને ટિકિટને એકસાથે રાખવાથી કોઈપણ મુશ્કેલી ટાળી શકાય છે.

આ રેલવે નિયમો મુસાફરીને સરળ બનાવતા નથી પરંતુ મુસાફરોને સલામત અને ટેન્શન-ફ્રી મુસાફરીની ખાતરી પણ આપે છે.