કેમ ભગવાન જગન્નાથજીની આંખો આટલી મોટી છે? રથયાત્રાના પવિત્ર દિવસે જાણી લો મૂર્તિ પાછળનું પૌરાણિક રહસ્ય

આજે 16 જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા છે. ભગવાન જગન્નાથજીની મૂર્તિ અન્ય હિન્દુ દેવતાઓની મૂર્તિઓથી અલગ હોય છે. ભગવાન જગન્નાથજીની આંખો મોટી અને શરીર અપૂર્ણ હોય છે. ભગવાન જગન્નાથજીના આ અનોખા સ્વરૂપ પાછળ એક લોકપ્રિય પૌરાણિક માન્યતા છે.

| Updated on: Jul 16, 2026 | 2:53 PM
1 / 6
પૌરાણિક કથાઓ અનુસાર, જ્યારે ભગવાન શ્રીકૃષ્ણએ દેહત્યાગ કર્યો હતો ત્યારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે તેમનું બાકીનું શરીર પાંચ તત્વોમાં ભળી ગયું હતું.  પરંતુ તેમનું હૃદય આજે પણ સુરક્ષિત છે. એવું પણ માનવામાં આવે છે કે તેમનું હૃદય ભગવાન જગન્નાથજીની મૂર્તિમાં રહે છે અને હજુ પણ ધબકે છે. (Image Source | iStock)

પૌરાણિક કથાઓ અનુસાર, જ્યારે ભગવાન શ્રીકૃષ્ણએ દેહત્યાગ કર્યો હતો ત્યારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે તેમનું બાકીનું શરીર પાંચ તત્વોમાં ભળી ગયું હતું. પરંતુ તેમનું હૃદય આજે પણ સુરક્ષિત છે. એવું પણ માનવામાં આવે છે કે તેમનું હૃદય ભગવાન જગન્નાથજીની મૂર્તિમાં રહે છે અને હજુ પણ ધબકે છે. (Image Source | iStock)

2 / 6
પુરીના જગન્નાથ મંદિરમાં ભગવાનની મૂર્તિઓ લીમડાના લાકડામાંથી બનાવવામાં આવેલી છે. માન્યતા અનુસાર, રાજા ઇન્દ્રદ્યુમ્નને સ્વપ્નમાં ભગવાન શ્રીકૃષ્ણએ નીમના લાકડામાંથી મૂર્તિઓ બનાવવાનો આદેશ આપ્યો હતો.  સતયુગના પ્રતાપી રાજા ઇન્દ્રદ્યુમ્ન એ ભગવાન વિષ્ણુના અનન્ય ભક્ત હતા. પુરાણો અનુસાર, તેઓ જગન્નાથપુરીમાં ભગવાન જગન્નાથ મંદિરના સ્થાપક હતા. (Image Source | iStock)

પુરીના જગન્નાથ મંદિરમાં ભગવાનની મૂર્તિઓ લીમડાના લાકડામાંથી બનાવવામાં આવેલી છે. માન્યતા અનુસાર, રાજા ઇન્દ્રદ્યુમ્નને સ્વપ્નમાં ભગવાન શ્રીકૃષ્ણએ નીમના લાકડામાંથી મૂર્તિઓ બનાવવાનો આદેશ આપ્યો હતો. સતયુગના પ્રતાપી રાજા ઇન્દ્રદ્યુમ્ન એ ભગવાન વિષ્ણુના અનન્ય ભક્ત હતા. પુરાણો અનુસાર, તેઓ જગન્નાથપુરીમાં ભગવાન જગન્નાથ મંદિરના સ્થાપક હતા. (Image Source | iStock)

3 / 6
ભગવાન જગન્નાથજીને ભાતનો મહાભોગ પ્રિય માનવામાં આવે છે. પુરીમાં સાત માટીના વાસણોને એકની ઉપર એક રાખીને ચુલા પર ભાત બનાવવામાં આવે છે. આશ્ચર્યની વાત એ છે કે સૌથી ઉપર રાખેલા વાસણનો ભાત સૌથી પહેલા તૈયાર થાય છે. આ પરંપરા પણ એક રહસ્ય તરીકે માનવામાં આવે છે. (Image Source | iStock)

ભગવાન જગન્નાથજીને ભાતનો મહાભોગ પ્રિય માનવામાં આવે છે. પુરીમાં સાત માટીના વાસણોને એકની ઉપર એક રાખીને ચુલા પર ભાત બનાવવામાં આવે છે. આશ્ચર્યની વાત એ છે કે સૌથી ઉપર રાખેલા વાસણનો ભાત સૌથી પહેલા તૈયાર થાય છે. આ પરંપરા પણ એક રહસ્ય તરીકે માનવામાં આવે છે. (Image Source | iStock)

4 / 6
ભગવાન જગન્નાથજીની આંખોને તેમની સર્વદર્શિતા, જ્ઞાન, કરુણા અને દયાનું પ્રતિક માનવામાં આવે છે. તેથી માન્યતા છે કે ભગવાન પોતાની વિશાળ આંખોથી સમગ્ર સૃષ્ટિ અને પોતાના ભક્તોની ભાવનાઓને જોઈ શકે છે. (Image Source | iStock)

ભગવાન જગન્નાથજીની આંખોને તેમની સર્વદર્શિતા, જ્ઞાન, કરુણા અને દયાનું પ્રતિક માનવામાં આવે છે. તેથી માન્યતા છે કે ભગવાન પોતાની વિશાળ આંખોથી સમગ્ર સૃષ્ટિ અને પોતાના ભક્તોની ભાવનાઓને જોઈ શકે છે. (Image Source | iStock)

5 / 6
એવું પણ માનવામાં આવે છે કે પુરીના જગન્નાથ મંદિરના મૂર્તિકારો અને કારીગરોએ ભક્તોમાં આશ્ચર્ય અને શ્રદ્ધાની ભાવના જગાવવા માટે ભગવાન જગન્નાથજીની આંખો આ વિશેષ આકારમાં બનાવી છે. ભક્તોની માન્યતા છે કે ભગવાન જગન્નાથજીની મોટી આંખો આંખના રોગોથી પીડિત લોકો માટે આશીર્વાદનું પ્રતિક છે. (Image Source | iStock)

એવું પણ માનવામાં આવે છે કે પુરીના જગન્નાથ મંદિરના મૂર્તિકારો અને કારીગરોએ ભક્તોમાં આશ્ચર્ય અને શ્રદ્ધાની ભાવના જગાવવા માટે ભગવાન જગન્નાથજીની આંખો આ વિશેષ આકારમાં બનાવી છે. ભક્તોની માન્યતા છે કે ભગવાન જગન્નાથજીની મોટી આંખો આંખના રોગોથી પીડિત લોકો માટે આશીર્વાદનું પ્રતિક છે. (Image Source | iStock)

6 / 6
નોંધ : આ સમાચારમાં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. TV9 ગુજરતી તેનું સમર્થન કરતું નથી. (Image Source | iStock)

નોંધ : આ સમાચારમાં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. TV9 ગુજરતી તેનું સમર્થન કરતું નથી. (Image Source | iStock)

Follow Us