
આપણા મગજમાં એક રસાયણ હોય છે, જેને ડોપામાઈન કહેવાય છે. જ્યારે આપણે કંઈક સારું કરીએ છીએ, જેમ કે સ્વાદિષ્ટ ખોરાક ખાઈએ છીએ અથવા ગીત સાંભળીએ છીએ, ત્યારે આ રસાયણનું પ્રમાણ વધે છે અને આપણે આનંદ અનુભવીએ છીએ. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ ખાસ જનીન એટલે કે RASGRF-2. જ્યારે આપણે દારૂ પીએ છીએ ત્યારે આપણા મગજમાં ડોપામાઈનની માત્રામાં વધારો કરે છે, જેના કારણે આપણને દારૂ પીવામાં ઘણો આનંદ આવે છે.

કેવી રીતે ખબર પડશે કે વ્યક્તિને દારૂની લત લાગી ગઈ છે? તેની વાત કરવામાં આવે તો એક મીડિયા અહેવાલ મુજબ, આ પ્રશ્નનો જવાબ શોધવા માટે વૈજ્ઞાનિકોએ એક મોટો અભ્યાસ કર્યો. તેમાં 14 વર્ષની આસપાસના 663 બાળકોનો સમાવેશ થાય છે. આ બાળકોને કેટલાક એવા કાર્યો કરવા માટે તૈયાર કરવામાં આવ્યા હતા જે તેમના મગજના ચોક્કસ ભાગને સક્રિય કરી શકે છે. આ ભાગનું કાર્ય આનંદ આપનાર રસાયણ (ડોપામાઇન) છોડવાનું છે.

જ્યારે આ બાળકો સાથે બે વર્ષ પછી ફરીથી વાત કરવામાં આવી ત્યારે વૈજ્ઞાનિકોને કેટલાક આશ્ચર્યજનક પરિણામો મળ્યા. જે બાળકોના શરીરમાં RASGRF-2 નામનું જનીન હતું, તેમણે વધુ ઝડપથી દારૂ પીવાની આદત વિકસાવી હતી.

આનો અર્થ એ થયો કે આ બાળકો જેમની પાસે આ જનીન નથી તેના કરતાં આ બાળકોએ વધુ દારૂ પીધો છે. જોકે, વૈજ્ઞાનિકોનું કહેવું છે કે માત્ર આ જનીનો જ નહીં પરંતુ આપણી આસપાસનું વાતાવરણ અને આપણા શરીરમાં રહેલા અન્ય જીન્સ પણ દારૂ પીવાની ટેવ કેળવવામાં ભૂમિકા ભજવી શકે છે.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેઈનના ઉપલબ્ધ માહિતીના આધારે છે. કોઈ પણ વ્યક્તિએ આલ્કોહોલનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે નુકસાન કારક છે.