
શહેરમાં આવતા પહેલા તેઓ ઘર શોધતા હોય છે. પરંતુ સમસ્યા ત્યારે થાય છે. જ્યારે મકાન માલિક નો બેચલર્સ, ઓનલી ફોર ફેમિલીની ડિમાંડ કરતા હોય છે.

કાનુની રીતે હાઉસિંગ સોસાયટીની પાસે બેચલર્સને પ્રતિબંધિત કરવાનો કોઈ અધિકાર નથી. તેમ છતાં મકાન માલિક તેને ઘર આપતા ડરે છે. આની પાછળ કારણ શું છે. તો માત્ર એક રુઢિવાદી વિચાર છે. અથવા તેની પાછળ કોઈ વ્યાવહારિક કારણ પણ હોય શકે છે.

જ્યારે સમાજને કાયદેસર રીતે કોઈને પણ કુંવારા હોવાના આધારે ઘર આપવા પર પ્રતિબંધ મૂકવાનો કોઈ અધિકાર નથી, તેમ છતાં મકાનમાલિકો તેમને ઘર આપતા અચકાય છે.

કાયદો શું કહે છે? કાનૂની દૃષ્ટિકોણથી, ફક્ત 'બેચલર' અથવા અપરિણીત હોવાના આધારે કોઈની સાથે ભેદભાવ કરી શકાતો નથી.ભારતના બંધારણની કલમ 19 નાગરિકોને દેશમાં ગમે ત્યાં મુક્તપણે રહેવા અને સ્થાયી થવાનો અધિકાર આપે છે.

કોર્ટે અસંખ્ય કેસોમાં એવું ઠરાવ્યું છે કે હાઉસિંગ સોસાયટીઓને કોઈને ફક્ત એટલા માટે મકાન ભાડે આપતા અચકાવવું કે તે બેચલર છે. આ કાનૂની અધિકાર નથી. હંમેશા બેચલર્સના રુમમાં બહારના ફ્રેન્ડ વધારે આવતા હોય છે. જેનાથી સોસાયટીના નિયમો અને સુરક્ષા પર અસર પડે છે

બીજી વાત એ છે કે, એવું માનવામાં આવે છે કે, બેચલર મોડી સાંજ સુધી પાર્ટીઓ કરતા હોય છે. મ્યુઝિકના અવાજથી આસપાસના પરિવારના લોકો પરેશાન થાય છે. કેટલાક મકાન માલિકને એવી ચિંતા હોય છે કે, બેચલર્સ ઘરને યોગ્ય રાખતા નથી. જેનાથી તેની સંપત્તિને નુકસાન પહોંચે છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )