
ભારતના જેલ મેન્યુઅલ અને સુપ્રીમ કોર્ટના માર્ગદર્શક નિયમો મુજબ જો કોઈ સ્ત્રી કેદીને જેલમાં બાળક જન્મે તો આ બાળકને ગુનેગાર માનવામાં નથી આવતો. કારણ કે કાયદો કહે છે કે “બાળક નિર્દોષ છે અને તેને ક્યારેય તેની માતાની સજાનો ભોગ બનવો ન જોઈએ.”

જેલમાં જન્મેલો બાળક કેટલા સમય સુધી જેલમાં રહી શકે?: કાયદા મુજબ જો બાળકની માતા જેલમાં સજા ભોગવી રહી હોય તો બાળકને માતા સાથે મહત્તમ 6 વર્ષ સુધી જેલમાં રાખી શકાય છે. છ વર્ષ પછી બાળકને બહારના કોઈ સગા પાસે અથવા સરકારી સંસ્થામાં મોકલવામાં આવે છે, જ્યાં તે શિક્ષણ અને સામાન્ય જીવન મેળવી શકે.

બાળક માટે જેલમાં ખાસ સુવિધાઓ: જેલોમાં એવા બાળકોની સંખ્યા ઓછી હોય છે પણ તેમ છતાં સરકાર દ્વારા ખાસ સુવિધાઓ ફરજિયાત કરવામાં આવી છે: શુદ્ધ અને પૌષ્ટિક ખોરાક, ડોક્ટર અને નર્સની નિયમિત તપાસ, બાળકો માટે રમકડાં અને Outdoor Play Area, પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા. આ બધું એટલા માટે કે બાળકને જેલનો માહોલ માનસિક રીતે પ્રભાવિત ન કરે.

માતાની સજા – બાળક પર અસર?: જો માતા ગંભીર કેસમાં હોય અથવા બાળક માટે જેલનું વાતાવરણ જોખમી હોય તો ક્યારેક કોર્ટ બાળકને માતાથી અલગ રાખવાનો નિર્ણય લઈ શકે છે. પરંતુ મોટાભાગે કોર્ટનું માનવું રહે છે કે બાળક માટે માતાનું સ્નેહ જરૂરી છે. તેથી તેને માતા સાથે જ રાખવામાં આવે છે. તે પણ ઓછામાં ઓછા 6 વર્ષ માટે.

6 વર્ષ બાદ શું થાય છે?: બાળક જ્યારે 6 વર્ષની ઉંમરે પહોંચે છે ત્યારે જેલ સત્તાઓ બાળકના સગા, પરિવારજનો અથવા સરકારી બાળસંરક્ષણ સંસ્થાને સંપર્ક કરે છે. જો કોઈ સગું ઉપલબ્ધ ન હોય તો બાળકને ચાઈલ્ડ કે હોમ અથવા NGO દ્વારા ચલાવવામાં આવતા હોસ્ટેલમાં મુકવામાં આવે છે. જ્યાં તે શિક્ષણ મેળવી શકે અને અન્ય બાળકો સાથે સામાન્ય જીવન જીવી શકે.

બાળકને શું હક્ક મળે છે?: ભારતમાં દરેક બાળકોને –માનવ અધિકાર, શિક્ષણનો હક્ક, સ્વાસ્થ્ય અધિકાર, સુરક્ષિત પર્યાવરણ, ગોપનીયતાનો હક્ક. આ બધું મળવું ફરજિયાત છે, ભલે તેનો જન્મ ગમે ત્યાં પણ થયો હોય.

જેલમાં જન્મેલો બાળક ક્યારેય કેદી ગણાતો નથી. તેને માતા સાથે રહેવાનો અધિકાર મળે છે, પણ માત્ર 6 વર્ષ સુધી. પછી તેને બહાર મોકલીને તેની સારી સંભાળ તથા ભવિષ્ય સુનિશ્ચિત કરવામાં આવે છે. કાયદો સ્પષ્ટ માહિતી આપે છે કે બાળકની નિર્દોષતા અને તેના ભવિષ્યને ક્યારેય નુકસાન ન થાય.