
એક કરોડપતિ બનવાની લોટરીનો જેકપોટ લાગી જાય તેવું સપનું બધાનું હોય છે. લોટરીની ટિકિટ લોકોના મનમાં અનેક સપનાઓ જગાડે છે. ભારતમાં લોટરી ખરીદતા પહેલા એ જાણવું જરુરી છે કે, દરેક રાજ્યમાં કાનુની સ્થિતિ અલગ અલગ છે.

ક્યાંય લોટરી વેચવો ગુનો છે, તો ક્યાક આ ગુનો બનતો નથી. આ કારણ છે કે, લોટરી અધિનિયમ 1998 હેઠળ રાજ્યોને સરકારી લોટરી ચલાવવાનો અથવા પ્રતિબંધિત કરવાનો અધિકાર છે. તેથી, કરોડપતિ બનવાનું સ્વપ્ન જોતા પહેલા તમારા રાજ્યના કાયદા અને નિયમોને સમજવું મહત્વપૂર્ણ છે.

શું કહે છે લોટરીનું કાયદો? લોટરી અધિનિયમ 1998ના અનુસાર માત્ર રાજ્ય સરકારને આ અધિકાર મળેલો છે, કે તે નિર્ધારિત શરતોની સાથે સરકારી લોટરી આયોજિત કરી શકે છે. કોઈ પણ સંસ્થાને અલગથી સ્વતંત્ર રુપથી લોટરી ચલાવવાની પરવાનગી આપવામાં આવી નથી.

લોટરી (નિયમન) અધિનિયમની કલમ 5 રાજ્યોને અન્ય રાજ્યોમાંથી લોટરી ટિકિટોના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની સત્તા આપે છે. જેમાં પારદર્શિતા બનાવી રાખવા અને ગેરકાયદેસર લોટરીના કારોબારને પ્રતિબંધ લગાવવાના ઉદ્દેશ્યથી કેન્દ્ર સરકારે 2010માં લોટરી નિયમોને વધુ સ્પષ્ટ કર્યા છે.

આપણા દેશમાં લોટરીને સંપુર્ણ રીતે ગેરકાયદેસર માનવામાં આવી છે. પરંતુ આને કાનુન દ્વારા નિયંત્રિત કરવામાં આવી છે.તમને જણાવી દઈએ કે કેટલાક રાજ્યોને લોટરી (નિયમન) અધિનિયમ, 1998 હેઠળ તેમના રાજ્યમાં લોટરી પર પ્રતિબંધ મૂકવાનો અધિકાર છે.

ભારતમાં લોટરી સંપૂર્ણપણે પ્રતિબંધિત નથી કે સંપૂર્ણપણે સ્વતંત્ર પણ નથી. તેથી, લોટરી દ્વારા કરોડપતિ બનવાનું સ્વપ્ન જોતા પહેલા, ખાતરી કરો કે તેની ખરીદી અને વેચાણ તમારા રાજ્યમાં કાયદેસર છે. નિયમોની અવગણના કરવાથી નાણાકીય નુકસાન અને કાનૂની કાર્યવાહી થઈ શકે છે. કાયદાનું જ્ઞાન અને તકેદારી જ તમને નાણાકીય અને કાનૂની મુશ્કેલીમાંથી બચાવી શકે છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )