કાનુની સવાલ : શું મેટરનિટી રજા માટે પહેલા અને બીજા બાળકના જન્મ વચ્ચે બે વર્ષનો તફાવત હોવો જરૂરી છે, જાણો

અલ્હાબાદ હાઈકોર્ટે પ્રસૂતિ રજા અંગેના એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટતા કરી હતી કે, પહેલા અને બીજા બાળકના જન્મ વચ્ચે બે વર્ષનો તફાવત ફરજિયાત નથી. કોર્ટે તબીબી શિક્ષણ વિભાગને બે અઠવાડિયામાં અરજદારોની અરજી પર નવેસરથી નિર્ણય લેવાનો આદેશ આપ્યો છે.

| Updated on: Jul 29, 2026 | 10:43 AM
1 / 7
 અલ્હાબાદ હાઈકોર્ટે જણાવ્યું છે કે, મેટરનિટી રજા માટે પહેલા અને બીજા બાળકના જન્મ વચ્ચે બે વર્ષનો તફાવત જરૂરી નથી. આ આધારે મહિલા કર્મચારીને રજા નકારી શકાય નહીં. કાનપુરની સ્ટાફ નર્સ શિખા યાદવ અને અન્ય એક વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર ન્યાયાધીશ સિદ્ધાર્થ નંદનની સિંગલ બેન્ચે આ આદેશ આપ્યો હતો.

અલ્હાબાદ હાઈકોર્ટે જણાવ્યું છે કે, મેટરનિટી રજા માટે પહેલા અને બીજા બાળકના જન્મ વચ્ચે બે વર્ષનો તફાવત જરૂરી નથી. આ આધારે મહિલા કર્મચારીને રજા નકારી શકાય નહીં. કાનપુરની સ્ટાફ નર્સ શિખા યાદવ અને અન્ય એક વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર ન્યાયાધીશ સિદ્ધાર્થ નંદનની સિંગલ બેન્ચે આ આદેશ આપ્યો હતો.

2 / 7
કોર્ટે 6 અને 9 જાન્યુઆરીના તબીબી શિક્ષણ વિભાગના આદેશોને રદ કર્યા હતા, જેમાં અરજદારને મેટરનિટીની રજા નકારી કાઢવામાં આવી હતી. અરજદારની મેટરનિટી રજા માટેની અરજીને આ આધાર પર નકારી કાઢવામાં આવી હતી કે, ઉત્તર પ્રદેશ નાણાકીય હેન્ડબુકના નિયમ 153(1) અને 8 ડિસેમ્બર, 2008 ના સરકારી આદેશ અનુસાર, પ્રથમ બાળકના જન્મના બે વર્ષમાં બીજી મેટરનિટી રજા આપી શકાતી નથી.

કોર્ટે 6 અને 9 જાન્યુઆરીના તબીબી શિક્ષણ વિભાગના આદેશોને રદ કર્યા હતા, જેમાં અરજદારને મેટરનિટીની રજા નકારી કાઢવામાં આવી હતી. અરજદારની મેટરનિટી રજા માટેની અરજીને આ આધાર પર નકારી કાઢવામાં આવી હતી કે, ઉત્તર પ્રદેશ નાણાકીય હેન્ડબુકના નિયમ 153(1) અને 8 ડિસેમ્બર, 2008 ના સરકારી આદેશ અનુસાર, પ્રથમ બાળકના જન્મના બે વર્ષમાં બીજી મેટરનિટી રજા આપી શકાતી નથી.

3 / 7
કોર્ટે સ્પષ્ટતા કરી કે, ઉત્તરપ્રદેશ નાણાકીય હેન્ડબુકની કાર્યકારી જોગવાઈઓ સંસદ દ્વારા ઘડવામાં આવેલા સામાજિક સુરક્ષા સંહિતા, 2020ની જોગવાઈઓને ઓવરરાઇડ કરી શકતી નથી.

કોર્ટે સ્પષ્ટતા કરી કે, ઉત્તરપ્રદેશ નાણાકીય હેન્ડબુકની કાર્યકારી જોગવાઈઓ સંસદ દ્વારા ઘડવામાં આવેલા સામાજિક સુરક્ષા સંહિતા, 2020ની જોગવાઈઓને ઓવરરાઇડ કરી શકતી નથી.

4 / 7
સંહિતાની કલમ 161 સ્પષ્ટ કરે છે કે, જો કોઈ અન્ય કાયદો, નિયમ અથવા કાર્યકારી નિર્દેશ સંહિતાની જોગવાઈઓ સાથે અસંગત હોય, તો સંહિતાની જોગવાઈઓ પ્રબળ રહેશે.

સંહિતાની કલમ 161 સ્પષ્ટ કરે છે કે, જો કોઈ અન્ય કાયદો, નિયમ અથવા કાર્યકારી નિર્દેશ સંહિતાની જોગવાઈઓ સાથે અસંગત હોય, તો સંહિતાની જોગવાઈઓ પ્રબળ રહેશે.

5 / 7
કોર્ટે આદેશમાં એ પણ કહ્યું કે, સમાજિક સુરક્ષા સંહિતા 2020માં પહેલા અને બીજા બાળકના જન્મ વચ્ચે કોઈ ન્યૂનતમ સમય મર્યાદા નથી. આ માટે માત્ર 2 વર્ષનું અંતર ન હોવાના આધાર પર કોઈ મહિલાકર્મચારીને માતૃત્વ લાભથી વંચિત રાખી શકાતી નથી

કોર્ટે આદેશમાં એ પણ કહ્યું કે, સમાજિક સુરક્ષા સંહિતા 2020માં પહેલા અને બીજા બાળકના જન્મ વચ્ચે કોઈ ન્યૂનતમ સમય મર્યાદા નથી. આ માટે માત્ર 2 વર્ષનું અંતર ન હોવાના આધાર પર કોઈ મહિલાકર્મચારીને માતૃત્વ લાભથી વંચિત રાખી શકાતી નથી

6 / 7
કોર્ટે તબીબી શિક્ષણ વિભાગને બે અઠવાડિયામાં અરજદારોની અરજી પર નવેસરથી નિર્ણય લેવાનો આદેશ આપ્યો છે.

કોર્ટે તબીબી શિક્ષણ વિભાગને બે અઠવાડિયામાં અરજદારોની અરજી પર નવેસરથી નિર્ણય લેવાનો આદેશ આપ્યો છે.

7 / 7
 (Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )

Follow Us