
અમદાવાદમાં બે માસૂમ બાળકીઓના શંકાસ્પદ મોત મામલે અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. શરૂઆતમાં ફૂડ પોઈઝનિંગથી મોત થયા હોવાનું મનાતું હતું, પરંતુ FSL રિપોર્ટમાં આ વાત ખોટી સાબિત થઈ છે.

રિપોર્ટ અનુસાર, બાળકીઓના મોત કોઈ ઝેરી પદાર્થના સેવનથી થયા હોવાનું સામે આવ્યું છે, જેના કારણે હવે સમગ્ર મામલો સામૂહિક આપઘાત કે હત્યા તરફ ફંટાયો છે. ત્યારે હવે એક સવાલ એ પણ થાય છે. આ બંન્ને બાળકીના મૃત્યું થતાં શું માતા-પિતા પર કાનુની પગલાં લેવામાં આવશે.

ભારતમાં માતા-પિતા દ્વારા પોતાના બાળકની હત્યા કરવી એક ગંભીર અને (Heinous Crime) છે. ભારતીય કાનુન હેઠળ આ હત્યા અથવા (Culpable Homicide) માનવામાં આવે છે. જેને લઈ ખુબ કડક નિયમો પણ છે.

ભારતીય ન્યાય સંહિતા (BNS) તેમજ આઈપીસીની કલમ 302 જો માતા-પિતા પોતાના બાળકોને જાણી જોઈને હત્યા કરી નાંખે છે. તો તેના પર હત્યાનો ગુનો બની શકે છે. આ માટે આજીવન કેદ અથવા મૃત્યુદંડ તેમજ દંડ થઈ શકે છે.

કલમ315/316 (શિશુ હત્યા, ભ્રૂણ હત્યા) જો માતા-પિતા બાળકોના જન્મ સમયે કે જન્મ પછી તેને મારવાનો પ્રયત્ન કરે છે. તો તેને 10 વર્ષ સુધીની જેલની સજા પણ થઈ શકે છે.

કલમ 317 (બાળકોને છોડી દેવા) 12 વર્ષથી નાની ઉંમરના બાળકોને તેના માતા-પિતા દ્વારા તડછોડી દેવામાં આવે તો આ એક ગુનો છે. જેમાં 7 વર્ષ સુધીની જેલની સજા અને દંડ થઈ શકે છે.

કિશોર ન્યાય અધિનિયમ (JJ Act), 2015 આ કાયદો બાળકની ક્રૂરતા, ઉપેક્ષા અથવા ત્યજી દેવાને પણ ગુનાહિત ગણે છે. તમને જણાવી દઈએ કે,ભારતમાં જન્મ પહેલાં અથવા પછી પુત્રીની હત્યા (સ્ત્રી ભ્રૂણહત્યા/ભ્રૂણહત્યા) પણ એક ચોક્કસ ગુનો છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva)