
એક બાજુ કાનુની વિવાદની શરુઆત છે લીગલ નોટિસ, જ્યારે કોઈ વ્યક્તિ, કંપની, ભાડુઆતા કે કારોબારી સંસ્થા સાથએ વિવાદ થાય છે. તો હંમેશા સૌથી પહેલા લીગલ નોટિસ મોકલવાની વાત સામે આવે છે. સામાન્ય ધારણા એ છે કે, લીગલ નોટિસનો જવાબ આપવા માટે 15 કે 30 દિવસ સુધીનો સમય મળે છે પરંતુ કાનુની સ્થિતિ આનાથી અલગ છે.

સામાન્ય કાનુની નોટિસ માટે આખા દેશમાં એક સમાન સમય સીમા નક્કી નથી. નોટિસમાં આપવામાં આવેલ સમય સંબંધિત કરાર અને લાગુ કાયદાને ધ્યાનમાં લેવું મહત્વપૂર્ણ છે. ઉદાહરણ તરીકે, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ 138 ચેક બાઉન્સ માટે અલગ સમય મર્યાદા નક્કી કરે છે.

સરળ ભાષામાં જો આપણે વાત કરીએ તો. લીગલ નોટિસ કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાને મોકલવામાં આવેલ ઔપચારિક લેખિત સંવાદ કે સંચાર હોય છે. જેમાં બીજી પાર્ટીને વિવાદ કે કાનુની દાવાની જાણકારી આપવામાં આવે છે. જેમાં સામાન્ય રીતે ઘટનાક્રમ સંબંધિત અધિકાર કે દાયિત્વ અને સામેવાળ પાસે અપેક્ષિત કાર્યવાહી જણાવવામાં આવે છે.

તેનો હેતુ કોર્ટમાં જતા પહેલા બીજા પક્ષને પોતાનો કેસ રજૂ કરવાની અથવા વિવાદ ઉકેલવાની તક આપવાનો છે. નોટિસ વકીલ દ્વારા બજાવવામાં આવી શકે છે, જોકે દરેક સામાન્ય નોટિસ માટે તે જરૂરી નથી.

મુદ્દો એ છે કે દરેક કાનૂની નોટિસનો જવાબ આપવો એ બધા સંજોગોમાં ફરજિયાત નથી. જોકે, નોટિસને અવગણવી વ્યવહારમાં જોખમી હોઈ શકે છે, ખાસ કરીને જ્યારે તેમાં કોઈ કાનૂની પ્રક્રિયા અથવા સમયમર્યાદાનો ઉલ્લેખ હોય.

ચેક બાઉન્સ જેવા કિસ્સાઓમાં સમયમર્યાદાનું પાલન કરવું ખાસ કરીને મહત્વપૂર્ણ છે. તેથી, નોટિસ મળ્યા પછી ચૂપ રહેવાને બદલે સમયસર તેના કાનૂની પરિણામોનું મૂલ્યાંકન કરવું વધુ સારું છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )