
અલ્હાબાદ હાઈકોર્ટે મહત્વપૂર્ણ નિર્ણયમાં સ્પષ્ટ કર્યું કે, જો કોઈ સરકારી નોકરી કરતી મહિલાને 2 થી વધુ બાળકો છે. તો તે મેટરનિટી લીવ માટે પાત્ર નથી, પછી ભલે તે કોઈ ખાસ ડિલિવરી માટે પહેલીવાર આ રજા માંગતી હોય. જસ્ટિસ મંજુ રાની ચૌહાણની સિંગલ બેંચે શશી કુમારીની અરજી પર આ આદેશ આપ્યો છે.

તમને જણાવી દઈએ કે, અરજદારે 19 જૂન 2026ના આ આદેશને પડકાર આપ્યો હતો. જેમાં તેના ચોથા બાળક માટે મેટરનિટી લીવની માંગને રદ કરવામાં આવી હતી. અરજીમાં પણ આ માંગ કરવામાં આવી હતી. છ મહિનાની મેટરનિટી લીવ આપવાનો નિર્દેશ આપવો જોઈએ.

અરજીકર્તા તરફથી તેના વકીલે તર્ક આપ્યો કે, તેના પહેલા 3 સંતાનોના જન્મ પર મેટરનિટી લીવ લીધી ન હતી. હવે ચોથા સંતાન માટે પહેલી વખત આ લાભ લઈ રહી છે.તેથી મેટરનિટી લીવ ના પાડવાના આદેશ અને કાનુની દર્ષ્ટિએ ખોટો છે.

તો બીજી બાજુ રાજ્ય તરફથી અરજીકર્તા પહેલા મેટરનિટી લાવ લઈ ચૂકી છે. કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે, નાણાકીય હસ્તપુસ્તિકાના ભાગ 2 થી 4 (પ્રકરણ 10) ના ભાગ 2 ની જોગવાઈઓ અનુસાર, પ્રસૂતિ રજા ડિલિવરીની તારીખથી 180 દિવસ માટે મંજૂર કરવામાં આવે છે. આ રજા છેલ્લી મંજૂર રજા સમાપ્ત થયાના બે વર્ષ પછી જ ફરીથી મંજૂર કરી શકાય છે.

સૌથી મહત્વપૂર્ણ શરત એ છે કે જો કોઈ મહિલા સરકારી કર્મચારીને બે કે તેથી વધુ બાળકો હોય, તો તેને પ્રસૂતિ રજા આપી શકાતી નથી, ભલે આવી રજા અન્યથા બાકી હોય.

સૌથી મહત્વપૂર્ણ શરત એ છે કે જો કોઈ મહિલા સરકારી કર્મચારીને બે કે તેથી વધુ બાળકો હોય, તો તેને પ્રસૂતિ રજા આપી શકાતી નથી, ભલે આવી રજા અન્યથા બાકી હોય.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )