
ઘણીવાર એવું જોવા મળે છે કે દર્દીના મૃત્યુ પછી, હોસ્પિટલ મેનેજમેન્ટ બાકી બિલ ચૂકવવામાં ન આવે ત્યાં સુધી મૃતદેહ પરિવારને સોંપવાનો ઇનકાર કરે છે. આ દુઃખના સમયમાં, સામાન્ય લોકો આ મનમાનીના વર્તન સામે લાચાર છે અને તેમને લોન લેવાની અથવા બિલ ચૂકવવા માટે વિનંતી કરવાની ફરજ પાડવામાં આવે છે.

પરંતુ શું તમે જાણો છો કે કાયદેસર રીતે, કોઈ પણ હોસ્પિટલ બાકી રકમ ચૂકવવા બદલ મૃત વ્યક્તિના મૃતદેહને બંધક બનાવી શકતી નથી?ભારતીય ન્યાયતંત્ર અને માનવાધિકારો અનુસાર, આ એક ખૂબ જ ગંભીર અને ગેરકાયદેસર કૃત્ય છે. ચાલો, સરળ શબ્દોમાં આ મુદ્દા પર દેશની કોર્ટના ચુકાદાઓ અને સામાન્ય નાગરિકને કયા કાનૂની અધિકારો છે તેના વિશે વાત કરીએ.

દિલ્હી હાઈકોર્ટે 2016ના એક કેસની સુનાવણી વખતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, જો હોસ્પિટલોને દર્દીના મૃત્યુ પછી બાકી બિલ વસૂલવા માટે તેના મૃતદેહને રોકવાનો અધિકાર નથી.

જો કોઈ હોસ્ટિલ આવું કૃત્ય કરે છે. તો તેને બંધક બનાવવાના કેસ હેઠળ કાનુની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.બંધારણના અનુચ્છેદ 21 હેઠળ, કોઈપણ મૃત વ્યક્તિના શરીરને ગૌરવપૂર્ણ અંતિમ સંસ્કારનો સંપૂર્ણ અધિકાર છે, જેને છિનવી શકાતો નથી.

સ્વાસ્થય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ પેશેન્ટ રાઈટ્સ ચાર્ટરમાં સ્પષ્ટ રુપથી લખ્યું કે, બિલ પેન્ડિંગ હોય તો પણ શરીરને રોકી શકાતું નથી.હોસ્પિટલને પોતાના પૈસા વસુલ કરવા માટે પરિવારના લોકો પર દબાવ બનાવવો કે મૃતદેહને રોકવા કરતા સિવિલ કોર્ટ દ્વારા કાનુની પ્રકિયા અપનાવવાનો અધિકાર છે.

હોસ્પિટલ વહીવટીતંત્ર કાયદેસર રીતે મૃતકના મૃતદેહને તાત્કાલિક પરિવારને સોંપવા માટે બંધાયેલું છે, તેઓ તેને કોઈપણ શરતે રોકી શકતા નથી.જો હોસ્પિટલ મૃતદેહ આપવાની ના પાડે તો તમે તરત આ પગલું લઈ શકો છો. આવી સ્થિતિમાં સ્થાનિક પોલીસને બોલાવવી જોઈએ. તેમજ નજીકના પોલીસ સ્ટેશન પર જઈ હોસ્પિટલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી શકો છો.

આ હોસ્પિટલના દુષ્કર્મ અંગે તમે જિલ્લા મુખ્ય તબીબી અધિકારી અથવા રાજ્ય માનવ અધિકાર આયોગને પણ ફરિયાદ કરી શકો છો.જો તાત્કાલિક પૈસાની વ્યવસ્થા ન થઈ શકે, તો હોસ્પિટલને પછીથી ચૂકવણી કરવાનું લેખિત વચન આપીને મૃતદેહની માંગણી કરો.

હોસ્પિટલ ફક્ત મૃતકના કાનૂની વારસદારોને બાકી રકમ માટે નોટિસ મોકલી શકે છે અથવા કોર્ટમાં સિવિલ દાવો દાખલ કરી શકે છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )