
લંબચોરસ પ્રકારના પ્લોટની બંને બાજુઓની લંબાઈ સમાન હોય છે અને બંને બાજુઓની પહોળાઈ લંબાઈ કરતા ઓછી હોય છે, પરંતુ બંને બાજુઓ સામસામે સમાન હોય છે. તેના ચાર ખૂણા સમાન હોય છે.

એવું માનવામાં આવે છે કે આ પ્રકારના પ્લોટ પર રહેતા લોકો પોતાનું આખું જીવન સુખ અને શાંતિમાં વિતાવે છે. આ પ્રકારના પ્લોટ પર બનેલા ઘરો સુંદર અને સુસજ્જ હોઈ શકે છે.

આગળના ભાગમાં એક નાનો બગીચો બનાવી શકાય છે અને પાછળના ભાગમાં પશુઓનો શેડ અથવા સરવન્ટ નિવાસ બનાવી શકાય છે.

આવા પ્લોટ પર કરવામાં આવેલ તમામ કાર્ય વ્યક્તિ માટે ફળદાયી છે. (ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.) All Image - Unsplash