
જોષી શબ્દ સંસ્કૃત શબ્દ "જ્યોતિષી" પરથી આવ્યો હોવાનું માનવામાં આવે છે. "જ્યોતિષ" નો અર્થ જે વ્યક્તિ જ્યોતિષનું જ્ઞાન ધરાવે છે, એટલે કે પંડિત અથવા પૂજારી જે ગ્રહો અને તારાઓના આધારે આગાહી કરે છે, શુભ મુહૂર્ત કાઢે છે અને ધાર્મિક વિધિઓ કરે છે.

સમય જતાં "જ્યોતિષ" નો ઉચ્ચાર "જોશી"માં બદલાઈ ગયો. કેટલાક લોકો જોશી લખે છે જ્યારે કેટલાક લોકો જોષી નામ લખે છે. જોષી અટક ધરાવતા લોકો સામાન્ય રીતે બ્રાહ્મણ જાતિના હોય છે. આ ઉપરાંત કેટલીક વાર અન્ય સમુદાયના લોકો પણ આ અટકનો ઉપયોગ કરે છે.

ઐતિહાસિક રીતે આ લોકો રાજાઓના દરબારમાં જ્યોતિષીઓ, પૂજારીઓ અથવા ગુરુઓ તરીકે સેવા આપતા હતા. કેટલાક વિસ્તારોમાં જોષી પરિવારો સ્થાનિક દેવી-દેવતાઓના મંદિરોમાં પૂજારી પણ રહ્યા છે.

મહારાષ્ટ્ર મરાઠી ઘણા જોશીઓ ચિત્પાવન અથવા દેશસ્થ બ્રાહ્મણ છે.ઉત્તરાખંડ ગઢવાલી, કુમાઉની પહાડી બ્રાહ્મણ જોશી, સ્થાનિક રિવાજોમાં સારી રીતે વાકેફ છે. ગુજરાતમાં જોશી અટક ધરાવતા ઘણા લોકો વૈદિક વિધિઓ કરે છે.

દરેક જોષી પરિવારનું એક ગોત્ર તેમની ઋષિ પરંપરા સાથે જોડાયેલું છે. ઉપરાંત, કેટલાક જોષી પરિવારોમાં અલગ અલગ કુલદેવતા હોય છે.(નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)