
લોહાણા સમુદાય મૂળ ક્ષત્રિય હતો જેમણે પાછળથી વેપાર પ્રવૃત્તિઓ શરૂ કરી હતી. લોહાણા સમુદાયના લોકો ગુજરાતના જામનગર, રાજકોટ, ભાવનગર અને પોરબંદર સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સ્થાયી થયા હતા.

"રૂપાણી" અટક આ સમુદાયની ચોક્કસ શાખા અથવા પરિવારનો ઉલ્લેખ કરે છે. કેટલાક "રૂપાણી" પરિવારો પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી પણ આવ્યા છે, ખાસ કરીને ભારત-પાકિસ્તાનના ભાગલા સમયે.

આ પરિવારો વ્યવસાયિક પૃષ્ઠભૂમિના હતા અને ભારતમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનમાં સ્થાયી થયા હતા.

"રૂપાણી" અટક આજે ભારતમાં રાજકીય, વ્યવસાયિક અને સામાજિક સ્તરે જાણીતી છે. રુપાણી અટક બર્મા એટલે અત્યારનું મ્યાનમાર સુધી પ્રસરેલી છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ વિજય રૂપાણીનો જન્મ પણ મ્યાનમારના રંગૂનમાં થયો હતો. (નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)
Published On - 11:31 am, Sun, 15 June 25