
ત્રિપાઠી બ્રાહ્મણોને વિદ્વાન, પૂજારી, પંડિત અથવા ધાર્મિક વિધિઓમાં નિષ્ણાત માનવામાં આવે છે. પરંપરાગત રીતે આ લોકો યજ્ઞ, પૂજા, વેદ અભ્યાસ અને શિક્ષણ સાથે સંકળાયેલા છે.

પ્રાચીન સમયમાં બ્રાહ્મણોને વેદોના જ્ઞાનના આધારે તેમના અટક લખવામાં આવે છે. જે લોકો એક વેદની જાણતા હતા તેને પાઠી કહેવાય છે. જ્યારે બે વેદની જાણતા લોકોને દ્વિવેદી કહેવાય છે.

જે વ્યક્તિને ત્રણ વેદની જાણકારી હોય છે તેને ત્રિપાઠી કહેવાય છે. તેમજ જે વ્યક્તિને ચાર વેદની જાણકારી હોય છે તેને ચતુર્વેદી કહેવામાં આવે છે.

ત્રિપાઠી બ્રાહ્મણો વિવિધ ગોત્ર આવેલા છે. જેમાં ભારદ્વાજ ગોત્ર, કશ્યપ ગોત્ર, વશિષ્ઠ ગોત્ર, ગૌતમ ગોત્ર વગેરેનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે ઉત્તર ભારતમાં જોવા મળે છે.

ઉત્તર ભારતના ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ સહિતના રાજ્યોમાં ત્રિપાઠી સમુદાયના લોકો વસવાટ કરે છે. નેપાળમાં ત્રિપાઠી બ્રાહ્મણો પણ જોવા મળે છે.

ત્રિપાઠી બ્રાહ્મણ સમુદાયે વેદ, પુરાણો, તત્વજ્ઞાન, જ્યોતિષ, આયુર્વેદ વગેરેમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેમની ઓળખ વિદ્વતા, ઉપાસના અને નૈતિક મૂલ્યો સાથે સંકળાયેલી છે.(નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)