
મિત્તલ અટક મુખ્યત્વે ઉત્તર-મધ્ય ભારતના ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને શેખાવતી પ્રદેશ એટલે રાજસ્થાન સાથે સંકળાયેલી છે. તે હિન્દુ અને જૈન સમુદાયોમાં પ્રચલિત છે.(અનુપમ મિત્તલ: Shaadi.com ના સ્થાપક)

મિત્તલ અટક અગ્રવાલ વણિક સમુદાયનો એક કુળ છે. વાણિયા સમુદાય વણિક જાતિનો એક ભાગ છે, જે વેપાર, વાણિજ્ય અને અર્થતંત્રમાં અગ્રણી ભૂમિકા ભજવે છે. બ્રિટિશ કાળ પહેલા, કેટલાક મિત્તલ પરિવારો ક્ષત્રિય જાતિના હતા, પરંતુ પછીથી વેપારી વર્ગમાં જોડાયા.(Tanya Mittal : Entrepreneur, Author, Influencer)

અગ્રવાલ સમુદાયની દંતકથા અનુસાર, મિત્તલ મહારાજા અગ્રસેનના 18 પુત્રોમાંના એક હતા. વિષ્ણુના અવતાર ગણાતા અગ્રસેને અગ્રવાલોને 18 ગોત્રોમાં વિભાજીત કર્યા. મિત્તલ ગોત્ર વ્યાપારિક કુશળતા અને મિત્રતાના પ્રતીક તરીકે જાણીતું બન્યું. આ સમુદાય વૈદિક સમયથી વેપારમાં સક્રિય હતો.(નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)