
આમાંના કેટલાક લોકો પાછળથી "પારસી" તરીકે જાણીતા બન્યા, પરંતુ બીજો એક જૂથ 19મી અને 20મી સદીમાં ઈરાનથી સીધો ભારત આવ્યો અને પોતાને "ઈરાની" તરીકે ઓળખાવ્યા.

ઈરાની Zoroastrians સમુદાયને પારસી સમુદાયથી થોડો અલગ માનવામાં આવે છે. તેમની ભાષા, પરંપરાઓ અને સ્થળાંતરની તારીખના આધારે અલગ પાડવામાં આવ્યો છે.

ભારતમાં કેટલાક મુસ્લિમ પરિવારોએ ઈરાની અટક અપનાવી હતી. જે દર્શાવે છે કે તેમનો પૂર્વજ ઈરાન અથવા પર્શિયન મૂળનો હતો. મુઘલ સમયગાળા દરમિયાન, ખાસ કરીને 16મી-18મી સદીની વચ્ચે, ઈરાની વિદ્વાનો, કલાકારો, કવિઓ અને અધિકારીઓ ભારતમાં આવ્યા અને અહીં સ્થાયી થયા. તેમાંના ઘણાએ પોતાની ઓળખ તરીકે "ઈરાની" અટક જાળવી રાખી.

ઘણા પારસી વેપારીઓ, લેખકો અને વિદ્વાનો, જેમના પૂર્વજો 19મી સદીમાં યઝદ અને કિરમાન (ઈરાનના શહેરો) થી આવ્યા હતા. વર્તમાન સમયમાં બોલીવુડથી લઈ રાજકીય ક્ષેત્ર સુધી ઈરાની સમુદાયના લોકો ઉચ્ચ પદવી પર જોવા મળે છે. (નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)
Published On - 7:56 am, Fri, 1 August 25