
પ્રાચીન સમયમાં, ખત્રી સમુદાય પાસે અનેક ગોત્ર હતા, જેમાંથી ધવન એક મુખ્ય ગોત્ર છે. પંજાબનો દોઆબ પ્રદેશ (જલંધર, હોશિયારપુર, કપૂરથલા, લુધિયાણા) અને જૂનું લાહોર (હવે પાકિસ્તાનમાં) આ સમુદાયના લોકો જોવા મળતા હતા.

1947ના ભાગલા પહેલા, લાહોર, રાવલપિંડી, ગુજરાંવાલા અને સિયાલકોટમાં ઘણા ધવન પરિવારો રહેતા હતા. ભાગલા પછી, આ પરિવારો દિલ્હી, પંજાબ, હરિયાણા, મુંબઈ અને વિદેશમાં સ્થાયી થયા.

વર્તમાન સમયમાં દિલ્હી-એનસીઆરમાં મોટાભાગના ધવન સમુદાયના લોકો જોવા મળે છે. આ ઉપરાંત પંજાબ,મુંબઈ, પુણે, બેંગલુરુમાં પણ આ સમુદાયના લોકો જોવા મળે છે.

ટૂંકમાં, ધવન એક પંજાબી ખત્રી કુળ-આધારિત અટક છે જે સદીઓથી ચાલી આવે છે. તેનો મૂળ અર્થ "દોડવીર" અથવા "ઘોષણાકર્તા" છે, પરંતુ આજે તે પંજાબી હિન્દુ અને શીખ સમુદાયોની ગૌરવપૂર્ણ ઓળખ છે. આ અટક વ્યવસાય, ફિલ્મ ઉદ્યોગ, દવા અને રમતગમત સહિત અન્યકાર્ય ક્ષેત્રમા પણ જાણીતી છે.(નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)