
કીવીમાં વિટામિન A અને વિટામિન E ભરપૂર માત્રામાં હોય છે, જે આંખો માટે ફાયદાકારક છે. કીવીનું સેવન કરવાથી આંખોની રોશની સુધરે છે અને આંખો સ્વસ્થ રહે છે. કીવીમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે પાચન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. કીવીનું સેવન કરવાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે અને એસિડિટી, કબજિયાત જેવી સમસ્યાઓ દૂર થાય છે.

કીવીમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. કીવીનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. કીવી એન્ટી-ઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર છે, જે કેન્સર જેવી જીવલેણ બીમારીઓનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે. તેનો ઉપયોગ કેન્સરના કોષોને વધતા અટકાવવામાં મદદ કરે છે.

જો તમને કીવીથી એલર્જી છે, તો તમારે તેનું સેવન કરવાનું ટાળવું જોઈએ. જો કિડનીને લગતી બીમારી હોય તો કીવીનું સેવન ટાળવું જોઈએ. કીવીનું વધુ પડતું સેવન કરવાથી પેટની સમસ્યા થઈ શકે છે.