
શિયાળામાં હળદરયુક્ત દૂધ પી શકાય છે. તેની પાછળનું કારણ એ છે કે તે રોગપ્રતિકારક શક્તિને વધારે છે. નિષ્ણાતોના મતે હળદરવાળુ દૂધ પીવાથી રોગપ્રતિકારક શક્તિ તો વધે જ છે, પરંતુ શરદી-ખાંસીથી પણ બચે છે. આ ઉપરાંત, કફમાં રાહત મેળવવા માટે ઉકળતા પાણીમાં હળદરને નાખીને હળવા હાથે હલાવીને નવશેકુ રહે ત્યારે તેને પીઓ.

શરદી અને ઉધરસમાં રાહત આપવા માટે કાળા મરી ખૂબ જ ઉપયોગી છે. ચામાં મરી પણ ઉમેરી શકાય છે. નિષ્ણાતો પણ મરીને દૂધ સાથે મિક્સ કરવાની ભલામણ કરે છે. મરી સહેજ તીખા હોવાથી બાળકો તે ખાવાનું પસંદ કરતા નથી તેથી તમે મરીના પાવડરમાં થોડું મધ મિક્સ કરી શકો છો.