
મળતી માહિતી મુજબ બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાનની મુશ્કેલીઓ વધી શકે છે. હાઇકોર્ટે કરીનાને નોટિસ પાઠવી છે. તેના પુસ્તકના શીર્ષક અંગે, આરોપ લગાવવામાં આવ્યો છે કે અભિનેત્રીએ પુસ્તકના નામમાં 'બાઇબલ' શબ્દનો ઉપયોગ કરીને ખ્રિસ્તી સમુદાયની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી છે.

કરીના કપૂર ખાનનું પુસ્તક 'કરીના કપૂર ખાન પ્રેગ્નન્સી બાઇબલ' 2021માં લૉન્ચ થયું હતું. આ પુસ્તકમાં અભિનેત્રીએ તેની પ્રેગ્નન્સી જર્ની વિશે વાત કરી છે. આ ઉપરાંત નવી માતાઓ અને ટૂંક સમયમાં થનારી માતાઓને માતૃત્વ અને બાળકોની સંભાળ રાખવાની ટીપ્સ પણ આપવામાં આવી હતી. આ પુસ્તકમાં, નવી માતાઓને આહાર, ફિટનેસ, સ્વ-સંભાળ અને નર્સરીની તૈયારી વિશે ટિપ્સ આપવામાં આવી છે. અદિતિ શાહ ભીંજયાનીએ કરીના કપૂર ખાન સાથે મળીને આ પુસ્તક લખ્યું છે.
Published On - 11:51 am, Sun, 12 May 24