
આ બેઠકમાં ચીન દ્વારા બ્રહ્મપુત્ર નદી પર બંધ અંગે ભારતની ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી હતી. ચીનના વિદેશ મંત્રી વાંગ યી સહિત અનેક મહત્વપૂર્ણ નેતાઓને પણ મળ્યા. આ વર્ષે, ભારત-ચીન રાજદ્વારી સંબંધોના 75 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે સંબંધોને ઝડપથી મજબૂત બનાવવા માટે એક કરાર થયો છે.

હવાઈ સેવાઓ ફરી શરૂ કરવા સંમત થયા : બંને દેશો વચ્ચેની આ મહત્વપૂર્ણ બેઠકમાં, સંવાદ અને આદાનપ્રદાનને વધુ પ્રોત્સાહન આપવા અને સુવિધા આપવા માટે યોગ્ય પગલાં લેવા સંમતિ વ્યક્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત બંને દેશો તેમની વચ્ચે સીધી હવાઈ સેવાઓ ફરી શરૂ કરવા માટે સૈદ્ધાંતિક રીતે સંમત થયા છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારત અને ચીન સંબંધોને સ્થિર કરવા અને ફરીથી મજબૂત બનાવવા માટે કેટલાક લોકો-કેન્દ્રિત પગલાં લેવા સંમત થયા છે.
Published On - 7:49 am, Tue, 28 January 25