
વિશેષ જણાવી દઈએ કે વર્ષ 2020 પછી કૈલાશ માનસરોવર યાત્રા સ્થગિત રહી હતી. ભારતીય સરકાર દર વર્ષે જૂન મહિનામાં ઉત્તરાખંડના લિપુલેખ પાસ (1981 થી) અને સિક્કિમના નાથુ લા પાસ (2015 થી) મારફતે યાત્રાનું આયોજન કરતી રહી છે. જોકે, તાજેતરમાં ચીન સાથેના સંબંધોમાં તણાવના કારણે યાત્રા રોકવામાં આવી હતી.

કૈલાશ માનસરોવર યાત્રા હિન્દુ, જૈન અને બૌદ્ધ ધર્મો માટે અગત્યની ધાર્મિક ઘટના છે અને દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ આ પવિત્ર સ્થળોની મુલાકાત લે છે. (Images - Twitter)