
અડી કડી વાવ નંદા પ્રકારની વાવ તરીકે ઓળખાય છે. તેનું નિર્માણ પરંપરાગત રીતે કરવામાં આવ્યું નથી, પરંતુ સીધા જ કુદરતી શિલામાં કોતરીને બનાવવામાં આવ્યું છે. કૂવાના તળિયે પહોંચવા માટે સાંકડી પરસાળમાં કુલ 166 પગથિયાં છે. ઉપરના ભાગે પાતળા શિલા પડમાંથી નાની બારી કોતરવામાં આવી છે. દિવાલોમાં ખડકો ધોવાઈ ગયેલા સ્પષ્ટ દેખાય છે. લગભગ 123 ફૂટ ઊંડા આ કૂવામાં અન્ય વાવની જેમ થાંભલા કે કોતરણી કામ નથી. (Credits: - Wikipedia)

ગુજરાતમાં એક કહેવત પ્રચલિત છે કે ‘આદી કડીની વાવ એને નવઘણ કુવો, જે ના જુવે તે જીવતો મુઓ ’ અર્થાત્ આ ઐતિહાસિક સ્થળોને જોયા વગરનું જીવન અધૂરું માનવામાં આવે છે. (Credits: - Wikipedia)

અડી કડી વાવને ફક્ત પાણી ભરવાના સ્ત્રોત તરીકે જ નહીં, પરંતુ જૂનાગઢના સમૃદ્ધ ઇતિહાસ, લોકકથાઓ અને સાંસ્કૃતિક માન્યતાઓના પ્રતિનિધિ રૂપે પણ જોવામાં આવે છે. ( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે. વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.) (Credits: - Wikipedia)