
સરકારી શાળામાં ગરીબ અને મધ્યવર્ગના બાળકો અભ્યાસ માટે આવે છે. શંકરટેકરી વિસ્તારમાં આવેલી શાળામાં બે પાળીમાં બે શાળા ચાલે છે. જેમાં કુલુ 440થી વધુ બાળકો અભ્યાસ કરે છે. વર્ષો જુની શાળાની બિલ્ડીંગમાં સમયસર સમારકામના કરાતા અનેક જગ્યાએ તિરોડો પડી છે.

એક વર્ગખંડમાં તો પોપળા પડતા તે વર્ગખંડને સ્ટોરરૂમ બનાવવામાં આવ્યો છે.જયાં બાળકોની અવર-જવર ના રહે. શાળાની બે માળની બિલ્ડીંગમાં બે લોબીમાં થાંબલા પણ જર્જરિત હાલતમાં જોવા મળે છે.