
સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે તારીખ 12 સપ્ટેમ્બરના રોજ ICCના સૌથી યુવા ચેરમેન તરીકે નિયુક્ત થયા બાદ પહેલીવાર જય શાહ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે પહોંચ્યા હતા

શાહે શ્રી હનુમાન દાદાની પૂજા અર્ચના કરી હતી, અહીં તેઓએ હનુમાનજીની આરતી કરી હતી.

આ સાથે જ બીસીસીઆઈ સચિવે સ્વામીનારાયણ સંપ્રદાયના કોઠારી વિવેકસાગર સ્વામી, શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) સહિત સંતોના આશીર્વાદ મેળવી અને ધન્યતા અનુભવી હતી.

સંતોએ રક્ષા સૂત્ર બાંધી, કિંગ ઓફ સાળંગપુર પ્રતિમાની ભેટ આપી ફૂલહાર કરી કર્યું સ્વાગત સન્માન કર્યું હતું.

મહત્વનું છે કે હાલમાં જ જય શાહ આઈસીસીના સૌથી યુવા ચેરમેન તરીકે પસંદ થયા છે, ત્યારે ICCના ચેરમેન બન્યા બાદ જય શાહ પહેલીવાર સાળંગપુર દાદાના દર્શને આવ્યા હતા. ઈનપુટ ક્રેડિટ: બ્રિજેશ સાકરીયા, બોટાદ