ICCના સૌથી યુવા ચેરમેન તરીકે નિયુક્ત થયાબાદ પહેલીવાર જય શાહ શ્રી કષ્ટભંજન હનુમાન દાદાના દર્શને તથા સંતોના આશીર્વાદ મેળવ્યા 12-09-2024 રોજ સાળંગપુર પહોચ્યા હતા. જય શાહ એ શ્રી કષ્ટભંજન હનુમાન દાદાના દર્શન કરી આરતી પુજા કરી હતી, મંદિરના કોઠારી સ્વામી શાસ્ત્રી સ્વામી સહિતના સંતોના આશીર્વાદ પણ મેળવ્યા હતા.
સંતોએ રક્ષા સૂત્ર બાંધી, કિંગ ઓફ સાળંગપુર પ્રતિમાની ભેટ આપી ફૂલહાર કરી કર્યું સ્વાગત સન્માન કર્યું હતું.
5 / 5
મહત્વનું છે કે હાલમાં જ જય શાહ આઈસીસીના સૌથી યુવા ચેરમેન તરીકે પસંદ થયા છે, ત્યારે ICCના ચેરમેન બન્યા બાદ જય શાહ પહેલીવાર સાળંગપુર દાદાના દર્શને આવ્યા હતા. ઈનપુટ ક્રેડિટ: બ્રિજેશ સાકરીયા, બોટાદ